હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો સજ્જડ બંધ રહી સમર્થન કર્યું

Posted 1 year ago with 29 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમન્યસ્યતા ફેલાવાનું કામ થશે: ચૈતર વસાવા

SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો સજ્જડ બંધ રહી સમર્થન કર્યું
1/4
SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો સજ્જડ બંધ રહી સમર્થન કર્યું
2/4
SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો સજ્જડ બંધ રહી સમર્થન કર્યું
3/4
SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો સજ્જડ બંધ રહી સમર્થન કર્યું
4/4

SC-ST સમુદાય દ્વારા આપવામાં આવેલા 21 ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો સજ્જડ બંધ રહી સમર્થન કર્યું 

સુપ્રિમ કોર્ટના SC-STના આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો અમે વિરોધ કરીયે છીએ: ચૈતર વસાવા

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમન્યસ્યતા ફેલાવાનું કામ થશે: ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટ 2024 ના રોજ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડની 7 જજોની બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ (SC-ST)ને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો. જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમન્યસ્યતા ફેલાવાનું કામ થશે. 

સુપ્રિમ કોર્ટના આ ચુકાદા મુળ સંવિધાનનું ઉલ્લંઘન થાય છે. સંવિધાનની ધારા 341 તથા 342 મુળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કરવાનો અધિકાર માન. રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે જ્યારે નામ. સુપ્રિમ કોર્ટના આ અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણયને લઇને સમગ્ર દેશના SC-STના સામાજીક સંગઠનો દ્વારા આજે 21 ઓગસ્ટ ભારત બંધને એલાન આપવામાં આવ્યું.

જેને લઇ ગુજરાતના તમામ સામાજીક-રાજકીય આગેવાનો તથા સંગઠનો સાથેની બેઠક મળી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ બાદ ગુજરાતમાંથી અમે સૌ લોકો એ સમર્થન જાહેર કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોને બંધ પાળવાનું આહવાન કર્યું.જેને પગલે આજે અંબાજીથી લઇ ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે તમામ સમુદાય-વર્ગના લોકોએ સહકાર આપી એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિતના બજારો એ સજ્જડ પાડી સમર્થન કર્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.