સમાચાર સારાંશ: ગામ લોકોનો 30 વર્ષનો જુનો પ્રશ્ન હતો કે અહીંયા નદીના કિનારે જૂનો ઐતિહાસિક કુંડ છે જે નદીના કિનારા પાસે આવેલો છે
અહીં ધારાસભ્યએ ગામનો 30 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલ્યો . માળીયા હાટીના તાલુકામાં જમીનમાં દટાયેલા ઐતિહાસિક કુંડને બહાર લઈ આવવાની સાથે ખેડૂતોના ખેતરમાં માટી ભરવાની કામગીરી પુરજોશમાં
માળીયા હાટીના તાલુકામાં જમીનમાં દટાયેલા ઐતિહાસિક કુંડને બહાર લઈ આવવાની સાથે ખેડૂતોના ખેતરમાં માટી ભરવાની કામગીરી પુરજોશમાં
ગુજરાત સહિત દેશ ભરમાં ઘણી ઐતિહાસિક વિરાસતો અને સ્થળો આવેલા છે જેમાં ઘણા સ્થળો ની સાચવણી સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ ઘણા સ્થળો અને ઇમારતો આજે પણ જાળવણી ની રાહ જોઈ ને બેઠી છે જેમાના ઘણા સ્થળો જે કોઈ કારણો સર જાળવણી ના અભાવે જમીનમાં દટાઈ ગયા હોય ત્યારે આવુજ કૈક નામાળીયાહાટીના તાલુકાના જામવાળી ગામમાં જોવા મળ્યું છે જ્યાં ગામ લોકો નો 30 વર્ષનો જુનો પ્રશ્ન હતો કે અહીંયા નદીના કિનારે જૂનો ઐતિહાસિક કુંડ છે જે નદીના કિનારા પાસે આવેલો છે અને નદીના વહેણ માં માટી આવવા ના કારણે દટાઈ જાવા પામ્યો છે
વળી માટી વધુ પ્રમાણ માં આવવા ને કારણે નદીનું વહેંણ પણ સાકળું થવા પામ્યું છે ત્યારે ગામ લોકો દ્વારા 30 વર્ષથી રજુવાત હતી કે અહીંયા માટી કામ કરાવવામાં આવે પરંતુ આજ દિન સુધી ગામ લોકોના પડતર પ્રશ્ન ને વાચા મળી ન હતી જ્યારે હાલ નવા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાને રજુવાત કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક નોંધ લઈ અને કામ ચાલુ કરવામાં આવ્યું છે
માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામમાં મહાદેવના મંદિરની બાજુમાં સ્નાન કરવા માટે ઐતિહાસિક જુનો 10 થી 12 ફૂટ ઊંડો કુંડ આવેલ હતો
આ કુંડમાં અંદાજે 30 વર્ષ થયા માટીના કાપથી ભરાઈ જતાતે અદ્રશ્ય થઈ ગયો હતો જેના કારણે કુંડમાં પાણીનો સંગ્રહ રહેતો ન હતો.
જ્યારે આ પ્રશ્ન બાબતે જામવાડીના સરપંચ નરેન્દ્ર ભાઈ ભૂત ,વલ્લભભાઈ ઘોડાસરા અને મધુભાઈ ચાંગેલાએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને આ કુંડમાંથી માટી કાઢવાની રજૂઆત કરી હતી
ગામ લોકોની રજૂઆતો ધ્યાને લઇ માળીયા હાટીના અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાએ ચોરવાડની ક્ષાર અંકુશ કચેરીના ઈજનેરને રજૂઆત કરતા તાત્કાલિક જામવાળી ગામમાં સવારથી આ ઐતિહાસિક કુંડમાંથી માટી કાઢવાનું કામ શરૂ કર્યું હતું
જેમાં માટી કાઢવા માટે જેસીબી અને ટેકટરો કામે લગાડવામાં આવ્યા હતા જેમાં નીકળતી માટી નો પણ યોગ્ય ઉપયોગ થાય તે માટે ખેડૂતોને જણાવાયું હતું અને જેથી ખેડૂતો આ કાપ વાળી માટીને પોતાના ખેતરોમાં ભરવા માટે લઈ ગયા હતા
જ્યારે કુંડમાંથી માટી કાઢવાનું કામ શરૂ થતા જામવાડીના લોકોમાં આનંદ લાગણી જોવા મળી હતી અને પોતાના ગામનો 30 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાતા ગામ લોકોએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ :- પરેશ વાઢીયા(વાઢીયાભાઈ)--જૂનાગઢ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



