અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ ૨૦૨૪ એનાયત કરવામાં આવ્યા જેમાં ગાંધીનગર ખાતે 131 કલા સાધકોને આપવામાં આવ્યું સન્માન.
ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાંથી ૨૧ બાળકો સહીત કુલ ૧૩૧ કલા સાધકોને “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ : ૨૦૨૪” એનાયત કરવામાં કરવામાં આવ્યો. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર અતુલ્ય વારસ એ વર્ષ ૨૦૦૮થી ગુજરાતમાં હેરિટેજ અને કલા સંસ્કૃતિ ઉજાગર થાય એ માટે કાર્યરત છે.
અતુલ્ય વારસોના કપિલ ઠાકરએ જણાવ્યું કે ગુજરાતના કલા સંવર્ધકોને પોંખવાના અવસરે હું તમામનો અભાર માનું છું. કાર્યક્રમમાં ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, , ચિત્રકલા લેખન અને હેરીટેજ પ્રવાસન આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવ્યા,
આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, આંબેડકર યુનિ. વાઈસ ચાન્સેલરશ્રી અમિબેન ઉપાધ્યાય, જાણીતા કલાકાર મકરંદ શુકલા, ઇતિહાસવિદ્દ ડૉ. વિશાલ જોશી, કલાતીર્થનાં અધ્યક્ષશ્રી રમણિકભાઈ ઝાપડિયા, જાણીતા સામાજીક કાર્યકર્તાશ્રી મિત્તલબેન પટેલ સહીત ગુજરાતભરમાંથી આવેલા કલાસાધકો હાજર રહ્યા હતા.
હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર (અતુલ્ય વારસો) એ વર્ષ ૨૦૦૮થી ગુજરાતમાં હેરિટેજ અને કલા સંસ્કૃતિ ઉજાગર થાય એ માટે કાર્યરત છે. અને વર્ષ ૨૦૧૩થી રાજ્યની ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોને લોકો સમક્ષ ઉજાગર કરવા સાથે ઐતિહાસિક સ્મારકો અંગેની જાગૃતિ , ભવ્ય વિરાસતની સંસ્કૃતિ લોકો સુધી પહોંચે અને લોકો જાગૃત થાય તે માટે રાજ્યમાં અનેક વિધાર્થીઓ, સંશોધકો, પ્રવાસન અને પુરાતત્વ પ્રેમીઓ સાથે અતુલ્ય વારસાને લગતી કામગીરી માટે ગુજરાત સરકારના સંલગ્ન વિભાગો અને અન્ય સ્વૈચ્છિક સંગઠનો સાથે મળીને અમો કામગીરી કરી રહ્યા છે.
રાજ્યમાં અનેક સક્રિય લોકો અતુલ્ય વારસાની ટીમ સાથે જોડાયેલા છે. ખાસ કરીને વાવ, ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો જે ભગ્ન અવસ્થામાં છે તેની જાળવણી માટે સ્થળ પર જઈને સફાઈ કરીને સ્થાનિકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે.
હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ : ૨૦૨૩-૨૪” જાહેર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત
૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ
૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ
૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે)
૪) લેખન અને પ્રકાશન
૫) હેરીટેજ પ્રવાસન
આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ ૦૭ એપ્રિલએ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો . કાર્યક્રમમાં ઉપરોક્ત વિષયનાં જ તજજ્ઞો દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા .
રાજ્યમાં અનેક સક્રિય લોકો અતુલ્ય વારસાની ટીમ સાથે જોડાયેલા છે. ખાસ કરીને વાવ, ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો જે ભગ્ન અવસ્થામાં છે તેની જાળવણી માટે સ્થળ પર જઈને સફાઈ કરીને સ્થાનિકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે.
હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ : ૨૦૨૩-૨૪” જાહેર કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, આંબેડકર યુનિ. વાઈસ ચાન્સેલર અમિબેન ઉપાધ્યાય, જાણીતા કલાકાર મકરંદ શુકલા, ઇતિહાસવિદ્દ ડૉ. વિશાલ જોશી, કલાતીર્થનાં અધ્યક્ષ રમણિકભાઈ ઝાપડિયા, જાણીતા સામાજીક કાર્યકર્તા મિત્તલબેન પટેલ સહીત ગુજરાતભરમાંથી ૨૦૦થી વધુ કલાસાધકો હાજર રહ્યા હતા.