હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાયદા અંગે અરવિંદ કેજરીવાલની સમજણ નબળી નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.

Posted 2 years ago with 140 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: તેલંગાણામાં રેલી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 'જો ભાજપ જીતશે તો અમિત શાહ જ વડાપ્રધાન હશે' વાળી ટિપ્પણી અંગે અમિત શાહે જવાબ આપ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાયદા અંગે અરવિંદ કેજરીવાલની સમજણ નબળી  નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.
1/4
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાયદા અંગે અરવિંદ કેજરીવાલની સમજણ નબળી  નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.
2/4
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાયદા અંગે અરવિંદ કેજરીવાલની સમજણ નબળી  નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.
3/4
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાયદા અંગે અરવિંદ કેજરીવાલની સમજણ નબળી  નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.
4/4

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાયદા અંગે અરવિંદ કેજરીવાલની સમજણ નબળી 

નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે. 

તેલંગાણામાં રેલી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 'જો ભાજપ જીતશે તો અમિત શાહ જ વડાપ્રધાન હશે' વાળી ટિપ્પણી અંગે અમિત શાહે જવાબ આપ્યો હતો.

?ref_src=twsrc%5Etfw">May 11, 2024

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાયદા અંગે અરવિંદ કેજરીવાલની સમજણ નબળી  નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.
‘નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે’  
અમિત શાહે કહ્યું કે, 'હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને ઈન્ડિ ગઠબંધનને કહેવા માંગુ છું કે, મોદીજી 75 વર્ષના થઈ રહ્યા હોવાથી તમારે ખુશ થવાની બિલકુલ જરૂર નથી. ભાજપના બંધારણમાં એવું નથી લખ્યું કે, મોદીજી ફરી વડાપ્રધાન ના બની શકે. તેઓ ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે. ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.'
કાયદા અંગે અરવિંદ કેજરીવાલની સમજણ નબળી છે’ 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરવા માટે વચગાળાના જામીન અપાયા છે. તેમણે સુપ્રીમ કોર્ટની સામે પ્રાર્થના કરી હતી કે તેમની ધરપકડ ખોટી છે, પરંતુ સુપ્રીમ કોર્ટે ન માન્યું. તેમને વચગાળાના જામીન માત્ર 1 જૂન સુધી અપાયા છે અને 2 જૂને તેમને એજન્સીઓની સામે આત્મસમર્પણ કરવું પડશે. જો અરવિંદ કેજરીવાલ તેને ક્લીન ચિટ માને છે તો કાયદા અંગે તેમની સમજણ નબળી છે.'

તિહાર જેલમાંથી બહાર આવીને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આજે (11 મે) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. 2014માં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે 75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે, પહેલા લાલકૃષ્ણ અડવાણી નિવૃત્ત થયા, પછી મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે મોદીજી આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. 17 સપ્ટેમ્બર તેમનો છેલ્લો દિવસ છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે?'

આ ઉપરાંત કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે 'જો ભાજપની સરકાર બનશે તો પહેલા તેઓ આગામી બે મહિનામાં યોગીને હટાવશે. ત્યારબાદ મોદીના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહને વડાપ્રધાન બનાવશે. મોદી પોતાના માટે નહીં પણ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે.' બીજી તરફ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ વડાપ્રધાન મોદીને સવાલ કર્યો છે કે, 'આવતા વર્ષે તમે 75 વર્ષના થઈ જશો, તો શું તમે નિવૃત્ત થવા તૈયાર છો?'

આગામી 5 વર્ષમાં મોદીજી દેશને નવા શિખરે લઈ જશે: નડ્ડા
તો ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર લખ્યું કે- 'કેજરીવાલ અને આખું ઈન્ડિ ગઠબંધન ચૂંટણીમાં નિષ્ફળતા અનુભવી રહ્યું છે. દેશને ભટકાવવા અને ભ્રમિત કરવાનો જ તેમનો ઉદ્દેશ્ય છે. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ તરફ મોદીજીને જનતાના પ્રચંડ આશીર્વાદ મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીજીની સામે ન તો તેમની પાસે કોઈ નીતિ છે અને ન કોઈ કાર્યક્રમ છે. 

હવે મોદીજીની ઉંમરનું બહાનું લઈને રસ્તો શોધી રહ્યા છે. ભાજપના બંધારણમાં ક્યાંય પણ ઉંમરને લઈને કોઈ વ્યવસ્થા નથી. જનતા જાણે છે મોદીજીના કણ-કણ અને ક્ષણ-ક્ષણ ભારત માતાની સેવા માટે સમર્પિત છે. મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થઈ રહી છે અને પોતાના આગામી 5 વર્ષના કાર્યકાળમાં મોદીજી દેશને નવા શિખર પર લઈ જશે.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.