હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સામાજીક, ધર્મ, રૂબરૂ

મનુષ્ય ગૌરવ દિન આજે પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ દિવસ સમાજમાં ‘સ્વાધ્યાય’ના માધ્યમથી આત્મચેતના જાગૃત કરવાનો આદર્શ સ્થાપિત કરવાનું બહુ મોટું કાર્ય દાદાએ કર્યું

Posted 1 year ago with 34 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: મનુષ્ય ગૌરવ દિન:પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે,"માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે

મનુષ્ય ગૌરવ દિન આજે પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ દિવસ સમાજમાં ‘સ્વાધ્યાય’ના માધ્યમથી આત્મચેતના જાગૃત કરવાનો આદર્શ સ્થાપિત કરવાનું બહુ મોટું કાર્ય દાદાએ કર્યું
1/1

મનુષ્ય ગૌરવ દિન આજે પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ દિવસ સમાજમાં ‘સ્વાધ્યાય’ના માધ્યમથી આત્મચેતના જાગૃત કરવાનો આદર્શ સ્થાપિત કરવાનું બહુ મોટું કાર્ય દાદાએ કર્યું

પાંડુરંગ શાસ્ત્રીએ સમાજ સુધારના આંદોલનનું અણમોલ કામ પણ કર્યું હતું. દાદાએ યુક્તિપૂર્વક વેદો, ઉપનીષદો તથા હિંદુ સંસ્કૃતિની આધ્યાત્મિક શક્તિને પુનઃજાગૃત કરવા માટે એક અભિયાન હાથ ધર્યું હતું. 1999માં ભારત સરકારે દાદા પાંડુરંગને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા હતા

મનુષ્ય ગૌરવ દિન:પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે,"માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે". આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, सर्वस्वचाहम हदयीसन्निविष्टो (અર્થ : હું પ્રાણીમાત્રના હદયમાં બિરાજમાન છું) તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન.

સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઊજવે છે. આ દિવસોમાં ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે જેને મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી તરીકે ઓળખવામાં આવે છે.

ભારતના પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ, સમાજ સુધારક અને દાર્શનિક પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાનો જન્મ 19 ઓક્ટોબર 1920માંના રોજ મહારાષ્ટ્રના રોહા મુકામે જન્મ થયો હતો. પાંડુરંગજીને ‘દાદા’ (મોટા ભાઈ)ના લાડકા નામથી પણ સંબોધન થતું હતું. સમાજમાં ‘સ્વાધ્યાય’ના માધ્યમથી આત્મચેતના જાગૃત કરવાનો આદર્શ સ્થાપિત કરવાનું બહુ મોટું કાર્ય દાદાએ કર્યું છે.

પાંડુરંગ શાસ્ત્રીએ સમાજ સુધારના આંદોલનનું અણમોલ કામ પણ કર્યું હતું. દાદાએ યુક્તિપૂર્વક વેદો, ઉપનીષદો તથા હિંદુ સંસ્કૃતિની આધ્યાત્મિક શક્તિને પુનઃજાગૃત કરવા માટે એક અભિયાન હાથ ધર્યું હતું. 1999માં ભારત સરકારે દાદા પાંડુરંગને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા હતા.

પાંડુરંગ આઠવલે દાદાએ 25 ઓક્ટોબર, 2૦૦૩ના રોજ મુંબઈમાં જ આખરી શ્વાસ લીધાં અને આ સંસારમાંથી વિદાય લીધી હતી પરંતુ તેમની રાખેલા મિશનની નીવ આજે વટવૃક્ષ સમાન બની ચૂકી છે. આજે પણ આ મિશન દ્રારા મનુષ્યમાં સદભાવના અને સંસ્કારનું સિંચનની પ્રક્રિયા નિરંતર ચાલે છે.આજે તેમના જન્મદિવસ નિમિતે 50થી વધુ શહેરમાં 25 હજારથી વધુ સ્વાસ્થ્યાચી તેમના જન્મત્સવની ઉજવણી કરશે.               

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.