સમાચાર સારાંશ: લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લીધા
હું નરેન્દ્ર દામોદરદાસ મોદી ..વડાપ્રધાન નરેન્દ્રમોદી સરકારનો શપથ સમારોહ યોજાયો કેબિનેટ મંત્રી તરીકે 30 સાંસદો અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે પાંચ નેતાઓએ શપથગ્રહણ કર્યા
ऐतिहासिक पल…
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) June 9, 2024
मैं नरेंद्र दामोदरदास मोदी…. pic.twitter.com/KxvY9x65WU
લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લીધા છે. આ ઉપરાંત તેમની સાથે કેબિનેટ મંત્રી તરીકે 30 સાંસદો અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે પાંચ નેતાઓએ શપથગ્રહણ કર્યા છે. તેમજ મોદી 3.0માં રાજ્ય મંત્રી તરીકે 36 નેતાઓનો સમાવેશ કરાયો છે. જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી દેશના એવા બીજા નેતા છે જે સતત ત્રીજી વખત આ જવાબદારી મળી છે.
દેશની નવી સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 31 કેન્દ્રીય મંત્રી, પાંચ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય કક્ષાના મંત્રી સામેલ કરાયા છે.
ભારતમાં ચીનના રાજદૂત Xu Feihong ટ્વિટર પર લખ્યું છે કે, નરેન્દ્ર મોદીજીને ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન. એવી આશા છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે થયેલી સર્વસંમતિ બાદ ચીન અને ભારત મજબૂત અને સ્થિર ચીન-ભારત સંબંધોનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘અમે આ સમારોહમાં એટલા માટે જઈ રહ્યા છીએ કારણ કે, અમારી એક બંધારણીય જવાબદારી છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા હોવાના નાતે હું આ કાર્યક્રમમાં જઈ રહ્યો છું. આ સરકારનું વલણ કેવું છે, તે દરેક લોકો જાણે છે. તેઓ હંમેશા વિપક્ષનું અપમાન કરતા રહ્યા છે, પરંતુ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે હું આ જવાબદારી નિભાવી રહ્યો છું.’
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



