સમાચાર સારાંશ: ગુજરાતના શિક્ષણના ધર્માંતારણ ને લઈને આગળ વધી રહ્યું હોય તેવું દેખાય છે
જામનગરની આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ ધર્મના પાઠ ભણવવામાં આવતા વિવાદ સર્જાયો વિડિઓ થયો વાઇરલ આંગણવાડીમાં ઇદનું રિહર્સલ વિદ્યાર્થીઓએ ‘યા હુસેન યા હુસેન’ના નારા લગાવ્યા
જામનગરની આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ ધર્મના પાઠ ભણવવામાં આવતા વિવાદ સર્જાયો છે. જામનગરના સોનલનગર વિસ્તારની આંગણવાડીની ઘટના હોવાનું સામે આવ્યુ છે.
બાળકોને મુસ્લિમ ધર્મના પાઠ ભણાવતો વીડિયો વાયરલ થતા ચકચાક મચી ગઈ છે. મહાનગરપાલિકા તંત્ર હજુ પણ અજાણ છે.
વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રશ્ન હતો કે તાજીયા વખતે શું બોલવામાં આવે છે ? જેના જવાબમાં વિદ્યાર્થીઓએ ‘યા હુસેન યા હુસેન’ના નારા લગાવ્યા છે. આ ઘટના અંગે આંગણવાડી સંચાલિકા કહ્યું કે અમને દરરોજની ક્રિયાઓ માટે મેસેજ આવે છે, ઈદની ઉજવણી માટે મેસેજ આવ્યો અમે કાર્ય કરાવ્યું. અમે જન્માષ્ટમી , હોળી સહિતના તહેવાર પણ આ જ રીતે ઉજવ્યા છે.જામનગરમાં સોનલ નગર વિસ્તારમાં આવેલ આંગણવાડી ની અંદર 30 ની સંખ્યા છે જ્યારે બે મુસ્લિમો છે અને એમાં પણ તહેવારો ઉજવવા કઈ રીતે જેમાં ઈદ માં સલામી કેમ ભરવી, નમાજ કેમ પઢવી, બિરયાની ખાવી, નવા કપડાં પહેરવા તેમજ યા હુસેન, યા હુસેન ના નારા કેમ લગાવવા તે શીખવી એક નાટક રચે છે અને આવા શિક્ષકોથી વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ પર તેમની ઘણી અસર થતી હોય છે.
એક સ્કૂલમાં "જય શ્રી રામ અને મહાદેવ હર" વિદ્યાર્થી બોલે તો માર પડે છે ત્યારે બીજી બાજુ આંગણવાડીમાં "યા હુસેન, યા હુસેનના" નારા શીખવવામાં આવે છે. આ બાબતને ગંભીરતાથી લઈએતો ગુજરાતના શિક્ષણના ધર્માંતારણ ને લઈને આગળ વધી રહ્યું હોય તેવું દેખાય છે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



