સમાચાર સારાંશ: ઉકળાટ અને બફારાનું પ્રમાણ યથાવત: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે,
બનાસકાંઠા જીલ્લામાં વરસાદ લંબાતા પશુપાલકો સહિત ખેડૂત વર્ગની મુશ્કેલીઓમાં વધારો, સૂકા સહિત લીલા ઘાસચારામાં વરસાદના અભાવે ભાવ વધારો થયો, પવનનો ગતિ ૧૪ કીમી પ્રતિકલાકની રહેતા ગરમી માંથી આંશિક ઘટાડો પરંતુ ઉકળાટ અને બફારાનું પ્રમાણ યથાવત: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે,
જેમાં ઉત્તર ગુજરાતમાં આગામી 23 જૂનથી છુટા છવાયા સ્થળો પર હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાતમાં જ અટવાયેલ છે. પરંતુ આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના સેવાઈ રહી છે જેના કારણે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી સમયમાં વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
જૂન મહિનાના 20 દિવસો પૂર્ણ થવા છતાં વરસાદનું ટીપુ પણ ન પડતા ખેડૂત વર્ગ સહિત પશુપાલકો ની હાલત કફોડી: બનાસકાંઠા જિલ્લામાં જૂન મહિનાના 20 દિવસો પૂર્ણ થવા હોવા છતાં માત્ર દિયોદર સિવાય જિલ્લાના એક પણ વિસ્તારમાં વરસાદનું ટીપું પણ ન પડતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે લીલા સહિત સૂકા ઘાસચારામાં પણ ભાવ વધારો થયો છે અને વરસાદના અભાવે હજુ સુધી જિલ્લાના ખેડૂતોએ વાવણી કરવાની રાહ જોઈ બેઠા છે ત્યારે આગામી સમયમાં સાર્વત્રિક ફાવડી લાયક વરસાદ થાય તેવી ખેડૂતો પણ પ્રાર્થના કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થવાના હવામાન વિભાગે આપ્યા સંકેત: ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 23 જૂને વરસાદની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા સહિત, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ,દાહોદ ,મહીસાગર,વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત,ડાંગ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ દાદરા નગર હવેલી ,પોરબંદર,જુનાગઢ,અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ દીવ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



