સમાચાર સારાંશ: અમદાવાદ શહેરમાં ખોરાકમાં મિઠાઈમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત
કાજુકતરીમાં નીકળી માંખી અમદાવાદ શહેરમાં ખોરાકમાં મિઠાઈ માં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો
અમદાવાદ શહેરમાં ખોરાકમાં મિઠાઈમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
અમદાવાદના સિટીએમ રામોલ માગઁ પર આવેલ ગોપાલ ડેરીમાં રામોલ ખાનવાડીના હમીદ મન્સુરી એ નવી ઇલેક્ટ્રિક વ્હીકલ લાવતા લોકોને મો મીઠું કરાવા લીધેલ કાજુ કતરીમાંથી મરેલ માખી નીકળી આવતા ફરી લોકોના સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
ગતરોજ રાતે ઘરે કાજુ કતરી પરિવાર ના સભ્યોઓએ બોકસ ખોલીને સાતેક સભ્યોઓને ખવડાવી હતી અને બીજી કાજુ કતરી હાથ માં લેતા તેમા મરેલ માખી ચોટેલ જોવા મળી હતી.
આ બોકસ લઈ ને ગોપાલ ડેરીમાં ગઈકાલે સવારે અગિયાર વાગ્યે તે બોક્ષ સાથે બતાવવા લઈ ગયેલ અને હાજર સંચાલકને તે બતાવી ને આ આપતા તેઓ એ બદલી ને રુપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી
જોકે અસ્વચ્છ વાતાવરણમાં આ મિઠાઈ કે ફરસાણ બનાવાતુ હોવાની દહેશત ને લઈ ને એએમસી કંટ્રોલ માં આ અંગે ની ફરિયાદ કરી ને પગલા ભરવા જણાવવામાં આવ્યું હતું.
હવે જોવું એ રહ્યું આ બાબતે કેટલા કડક પગલાં લેવામાં આવશે કે પછી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં ચાલુ રાખી જીવ સાથે રમત રમવાની ચાલુ રહેશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં જીવ-જંતુઓ નીકળવાની ઘટનાઓ યથાવત્ છે. ભારતમાં ફૂડ પ્રોસેસિંગ વિભાગ કેટલો બેદરકાર છે તેના એક પછી એક પુરાવા સામે આવી રહ્યા છે. બાલાજી વેફરમાંથી દેડકો, સિઝલરમાંથી વંદો અને બર્ગરમાંથી જીવાત નીકળ્યા બાદ હવે મસાલા પાપડમાંથી ઈયળ અને ગુટખાના મસાલામાંથી જીવાત મળી આવી...
ગુજરાતમાં બહારનું ખાતા પહેલા કે મંગાવતા પહેલા 100 વખત વિચાર કરજો. અત્યાર સુધી તો ખાદ્ય ચીજોમાં જીવાતો મળી આવતી હતી, પરંતુ હવે તો ગુટખા ખાનારાઓએ પણ સાવચેત રહેવું પડશે..
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



