સમાચાર સારાંશ: રિપોર્ટ અલ્તાફ લુહાર હિંમતનગર કેટલાક ખેડુતો હાલ વાવેતર કરી રહ્યા છે જ્યા પુરતુ પાણી ન હતુ જેના કારણે ખેડુતો મોડુ વાવેતર કર્યુ છે પરંતુ હાલ ખેડુત વરસાદ ની રાહ જોઈને બેઠો છે
સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડુતોની હાલત હાલ કફોડી બની સિંચાઇના પાણીના અભાવે પાક મુરઝાવા લાગ્યો
બાઈટ- જશુ ભાઈ, ખેડુત તખતગઢ
બાઈટ- રમેશ ભાઈ પટેલ ખેડુત. તખતગઢ કંપા
ચોમાસુ સિઝનને લઈ જે ખેડુતોએ જ્યા પાણીની સગવડ હતી ત્યા વાવેતર કર્યુ હતુ પરંતુ કેટલાક ખેડુતો હાલ વાવેતર શરૂ કર્યુ છે પરંતુ વરસાદ ન થતા વરસાદ ની રાહ જોતા ખેડુતો ની હાલત હાલ તો કફોડી બની છે આમ તો બે વરસાદ થયો છે પરંતુ પાક મુરઝાવા લાગ્યો છે..
સાબરકાંઠા જીલ્લા માં ચોમાસુ વાવેતરમાં મગફળી, સોયાબીન, કપાસ નુ સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસ ના અધધ ભાવ મળ્યા હતા અને જેને લઈને આ વખતે પણ ખેડુતો વધુ વાવેતર કરેલ છે... પરંતુ ચાલુ સાલે સાબરકાંઠા જીલ્લા માં વરસાદ થોડો મોડો થયો છે પહેલા એક કે બે દિવસ વરસાદ આવ્યો જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો અને એટલે ખેડુતો કપાસ અને મગફળી નુ વાવેતર કરી દીધુ પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુંજાવા લાગ્યો છે... કેટલાક ખેડુતો હાલ વાવેતર કરી રહ્યા છે જ્યા પુરતુ પાણી ન હતુ જેના કારણે ખેડુતો મોડુ વાવેતર કર્યુ છે પરંતુ હાલ ખેડુત વરસાદ ની રાહ જોઈને બેઠો છે કે ક્યારે વરસાદ પડે અને પાક બચાવી શકાય... જલ્દી વરસાદ પડે તો ખેડુતો ના પાકને જીવન દાન મળી શકે તેમ છે..
આમ તો ચોમાસાની સિઝનમાં ખેડુતો વાવેતર ની શરૂઆત તો કરી લીધી છે પરંતુ જે ખેડુતો ને કુવામાં સારુ પાણી છે તેઓએ વાવેતર શરૂ કરી દીધુ હતુ જેમાં કપાસ મગફળી નુ વાવેતર વધુ કર્યુ છે... ત્યારે ખેડુતો હાલ તો કુદરત પર આશા રાખીને બેઠા છે કારણ કે મોઘાદાટ બીયારણ દવાઓ ખાતર અને મજુરી તો સામો ડીઝલ ના ભાવ પણ આસમાને પહોચ્યા છે અને માંડ માંડ ખેતરમાં વાવેતર કર્યુ છે પરંતુ વરસાદ ન વરસે તો ખેડુતો ને નુકસાન થઈ શકે તેમ છે ત્યારે ક્યારે વરસાદ આવે તેની પણ ખેડુતો મીટ માંડીને બેઠા છે... જો બે થી પાંચ દિવસમાં વરસાદ ન આવે તો જે ખેડુતોએ વાવેતર કર્યુ છે એ પાક ને નુકસાન થઈ શકે તેમ છે કારણ કે પાણી વગર પાક પણ મુરજાઈ રહ્યો છે તો પાન પીડા પડી રહ્યા છે અને પાક બચાવવા દવાનો છંટકાવ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે... તો જેને વાવેતર બાકી છે તે પણ રાહ જોઈ રહ્યા છે.
આમ તો સારા વરસાદ ની આશાએ વાવેતર શરુ કરી દીધુ છે પરંતુ હાલ તો ખેડુતો કુદરતના આસરે છે કે ક્યારે વરસાદ વરસે અને પાકનુ વાવેતર કરાય અને જે ખેડુતોએ વાવેતર કરેલ છે અને વરસાદ ન વરસે તો ચોક્કસ પણ ખેડુતો ને મોટુ નુકસાન થઈ શકે તેમ છે અને હાલ વરસાદ ન પડતા ખેડુતો ની ચિંતા વધી છે.
રિપોર્ટ અલ્તાફ લુહાર હિંમતનગર
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



