સમાચાર સારાંશ: ચોમાસા પુર્વ તૈયારી કરવામાં વીજ તંત્ર ઉણુ ઉતરતા જીવંત વીજ વાયર ટુટવાની ઘટનાઓ બની રહી છે તો સામે તંત્ર દ્રારા કામગીરી હજુ શરૂ છે તેવા દાવા થઈ રહ્યા છે ત્યારે જલ્દી માં સમારકામ પુર્ણ થાય તેવી માંગ કરાઈ છે.
સાબરકાંઠા જીલ્લામાં જોખમી અને લટકતા વીજ વાયરને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે.અગાઉ વીજ વાયર ટુટતા અનેક પશુઓના મોત થયા છે તો કેટલાક લોકો પણ ઘાયલ થયા છે
સાબરકાંઠા જીલ્લામાં જોખમી અને લટકતા વીજ વાયર ને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે..અગાઉ વીજ વાયર ટુટતા અનેક પશુઓના મોત થયા છે તો કેટલાક લોકો પણ ઘાયલ થયા છે તો સાથે સાથે ખેતરોમાં વીજ વાયર ટુટતા પાકને પણ નુકસાન થયુ હતુ... તો બે દિવસ પહેલા હિંમતનગર માં જીવંત વાયર માં અચાનક જ ફટાકડા ફુટવા લાગ્યા હતા ૧૦ મીનીટ બાદ અચાનક જ વાયર ટુટી પડતા મોટી જાનહાની ટળી હતી.
આ સમગ્ર મામલે યુજીવીસીએલ દ્રારા તાત્કાલિક વીજ વાયર રીપેર કરવામાં આવ્યો હતો..હિંમતનગર શહેર તથા સાબરકાંઠા જીલ્લાના અનેક ગામડાઓમાં વીજ વાયર લટકતા જોવા મળે છે જે તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે... તો સામે યુજીવીસીએલના અધિકારીએ જણાવ્યુ હતુ કે હિમતનગરની સર્કલ ઓફિસમાં આવેલ તમામ ૪૧૮ ફિડરોનુ કામકાજ ચાલુ છે જેમાં ૨૫૦ વધુ ફીડરો સમારકામ થઈ ગયુ છે અને અન્ય ફિડરોમાં સમારકામ પ્રગતિ માં છે આ ઉપરાંત જે કામગીરી કરાય છે
વહેલી સવારે અને સ્થાનિક ને અગવડતા ન પડે તે રીતે કરવામાં આવી રહી છે.થોડા દિવસો અગાઉ આવેલ વાવાઝોડા માં ૩૧૩ જેટલા વીજ પોલ ને નુકસાન થયુ હતુ જે તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવ્યા હતા..
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



