સમાચાર સારાંશ: લોકોની મહેનતની કમાણી મંડળીના મંત્રી ચાઉ કરી ગયા
આ જગ્યાએ ઠગ ભગતે કર્યા ખેડૂતોના લાખો રૂપિયા ચાઉં માળીયા તાલુકાના જૂથળ ગામની સેવા સહકારી મંડળીમાં ગોટાળો મંડળીનું કારસ્તાન સામે આવ્યું
આ જગ્યાએ ઠગ ભગતે કર્યા ખેડૂતોના લાખો રૂપિયા ચાઉં માળીયા તાલુકાના જૂથળ ગામની સેવા સહકારી મંડળીમાં ગોટાળો મંડળીનું કારસ્તાન સામે આવ્યું #same #Sankarimandali #junagadh #gujarat pic.twitter.com/EgYAuw2eTv
— Jigar pandya (@jigar_pandya27) July 16, 2024

માળીયા હાટીના તાલુકાના ગામડામાં આવેલી સેવા સહકારી મડળીમાં ભ્રષ્ટચાર થયા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે લોકોની મહેનતની કમાણી મંડળીના મંત્રી ચાઉ કરી ગયા
લાખો રૂપિયા ડિપોઝીટ કરનાર લોકો જયારે તપાસ માટે પહોંચ્યા ત્યારે મંડળીના પ્રમુખ દ્વારા યોગ્ય જવાબ ન મળતા વકીલ મારફત મંડળીને ફટકારી નોટિસ
માળીયા તાલુકાના જૂથળ ગામની સેવા સહકારી મંડળીમાં ગોટાળો સામે આવ્યો છે
16 લોકો દ્વારા પોતાના રૂપિયા મેળવવા તજવીજ
આમ આદમી પાર્ટી નેતા પિયુષ પરમાર પહોંચ્યા લોકો સાથે મંડળી પર
જૂથળ સેવા સહકારી મંડળી દ્વારા લેખિત માં કહ્યું કે મંડળી ના મંત્રી દ્વારા ગેરવહિટ કરવામાં આવ્યો આજે મંડળી પાસે કશું બેલેન્સ નથી
વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં અગાઉ પણ મંડળી બાબતે સમાચારો ગાજતા રહ્યા છે ત્યારે નવા વર્ષમાં ફરી એક વખત નવી મંડળીનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં માળીયા હાટીના તાલુકા ના જૂથળ ગામ ની અંદર આવેલ જૂથળ સેવા સહકારી મંડળી માં જૂથળ ગામ ના લોકો દ્વારા લાખો રૂપિયાની પોતાની મહેનતની કમાણી જૂથળ સેવા સહકારી મંડળી માં ડિપોઝીટ રૂપે મૂકી હતી પરંતુ ખેડૂતો ને જ્યારે જરૂર પડી ત્યારે મંડળી દ્વારા નન્નયો ભણી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા
જ્યારે ખેડૂતો દ્વારા વકીલ મારફત મંડળી ને નોટિસ પણ આપવામાં આવી તેમ છતાં મંડળી દ્વારા કોઈ જવાબ દેવામાં નતો આવ્યો જેથી આજે ખેડૂતો દ્વારા આમ આદમી પાર્ટી ના નેતા પિયુષ પરમાર ને જાણ કરતા પિયુષ પરમાર સાથે ખેડૂતો મંડળી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર વિગત જાણી હતી ત્યારે મંડળી ના પ્રમુખ દ્વારા જણાવાયું કે મંડળીના મંત્રી કાંતિલાલ હીંગરજીયા દ્વારા મંડળી માં ગેરવહિવટ કરવામાં આવ્યો છે તેથી હાલ મંડળી પાસે નાણાં નથી અને મંડળી હાલ ખેડૂતો ને તેમના નાણાં ચૂકવી શકે તેમ નથી જ્યારે મંડળી ની આર્થિક પરિસ્થિતિ સુધરશે ત્યારે અમે તમામ નાણાં ચૂકવી આપીશું જ્યારે આ બાબત નું મંડળીના પ્રમુખ દ્વારા લેખિત પણ આપવામાં આવ્યું હતું પરંતુ મીડિયા આવ્યા નો ખ્યાલ આવતા મીડિયાથી બચવા પ્રમુખ રફુચકર થઈ ગયા હતા
હાલ સવાલ એ છે કે મંડળી દ્વારા કહેવામાં આવ્યું કે આર્થિક પરિસ્થિતિ સુધરશે ત્યારે નાણાં આપીશું પરંતુ જો આર્થિક પરિસ્થિતિ 20 વર્ષ માં પણ ન સુધરી તો ખેડૂતો ને છું કરવાનું હાલ ખેડૂતો દ્વારા બેન્કમાંથી લોન લેવામાં આવી છે અને તે લોન ભરવા માટે તેમને મંડળી માં પડેલી પોતાની થાપણો ઉપાડવાની જરૂર પડી છે પરંતુ મંડળી દ્વારા નાણાં નથી આપવામાં આવી રહ્યા ત્યારે ખેડૂતો મુંજાયા છે
ત્યારે જૂનાગઢ જિલ્લા માં જો જીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા ગામડાઓ માં આવી પરિસ્થિતિ સામે આવે તેવું લોકોનું માનવું છે
અહેવાલ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



