સમાચાર સારાંશ: કેન્યામાં પૂરના કારણે તબાહી સર્જાઈ છે. આફ્રિકન દેશની 47 કાઉન્ટીઓમાંથી 38 કાઉન્ટી પ્રભાવિત થયાના અહેવાલ મળી રહ્યા છે.
કેન્યામાં પૂરના કારણે તબાહી સર્જાઈ છે. આફ્રિકન દેશની 47 કાઉન્ટીઓમાંથી 38 કાઉન્ટી પ્રભાવિત થયાના અહેવાલ મળી રહ્યા છે. સરકારના આંકડાઓ અનુસાર, આ વિનાશક પૂરમાં 267 લોકો અત્યાર સુધી મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 2,80,000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. દરમિયાન ભારતે કેન્યાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન માટે 40 ટન રાહત સામગ્રી મોકલી છે. કેન્યામાં 80 હજારથી 100000 જેટલાં ભારતીયમૂળના લોકોની વસતી હોવાનુંં કહેવાય છે. ટ્વિટર પર પોસ્ટ શેર કરતાં વિદેશમંત્રી એસ જયશંકરે લખ્યું કે, 'કેન્યામાં પૂરથી પ્રભાવિત લોકોને મોકલવામાં આવેલી મદદ ની જાણકારી આપી
STANDING IN SOLIDARITY WITH KENYA
— India in Kenya (@IndiainKenya)
Indian Naval Ship Sumedha, as the first responder in IOR, has handed over food, relief & medicine supplies for flood victims to the Government of #Kenya.🇮🇳 🤝 🇰🇪@ODP_kenya@indiannavy@MEAIndia@KenyaMOFA@HQ_IDS_India@SpokespersonMoD@DCMohd pic.twitter.com/xSJKXFBbbsSTANDING IN SOLIDARITY WITH KENYA
— India in Kenya (@IndiainKenya) May 10, 2024
Indian Naval Ship Sumedha, as the first responder in IOR, has handed over food, relief & medicine supplies for flood victims to the Government of #Kenya.🇮🇳 🤝 🇰🇪@ODP_kenya@indiannavy@MEAIndia@KenyaMOFA@HQ_IDS_India@SpokespersonMoD@DCMohd pic.twitter.com/xSJKXFBbbs

માલસામાનમાં 22 ટન રાહત સામગ્રી જેવી કે તંબુ, સ્લીપિંગ બેગ અને સાદડીઓ, ધાબળા, પાવર જનરેશન સેટ, ખાવા માટે તૈયાર ખોરાક, મૂળભૂત સ્વચ્છતા સુવિધાઓ અને સ્વચ્છતા કીટ, બાહ્ય કેસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 18 ટન મેડિકલ સહાય પણ કન્સાઈનમેન્ટમાં સામેલ છે. તેમાં ગંભીર સારસંભાળ અને લોકોની સારવાર માટે જરૂરી જીવનરક્ષક દવાઓ અને સર્જીકલ સાધનોનો સમાવેશ થાય છે. બેબી ફૂડ, પાણી શુદ્ધિકરણ, માસિક સ્રાવની સ્વચ્છતા અને મચ્છર નિવારક દવાઓ, મેલેરિયા અને ડેન્ગ્યુ નિદાન કીટ, ઝેર વિરોધી સારવાર અને વિવિધ પરીક્ષણ કીટ જેવી આવશ્યક વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



