સમાચાર સારાંશ: શહેરના પ્રગતિનગર ગાર્ડનથી પસાર થતો ૧૦૦ ફૂટ રિંગ રોડ પર લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે.જેને કારણે રોડ પર આવેલી સોસાયટીઓના રહીશો પરેશાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો અને કોન્ટ્રાકટરની બેદરકારી શહેરીજનોનો જીવ લેશે . પ્રગતિનગર ગાર્ડનથી પસાર રોડ પર લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા
શહેરના પ્રગતિનગર ગાર્ડનથી પસાર થતો ૧૦૦ ફૂટ રિંગ રોડ પર લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે.જેને કારણે રોડ પર આવેલી સોસાયટીઓના રહીશો પરેશાન છે . સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે
આ લોખંડના સળિયા અને રોડ પર ફિટ કરેલા લોખંડના ગર્ડર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ બની ચુક્યા છે . આ ઉપરાંત આજ રોડ પર ઠેરઠેર આજ પ્રકારની ઘોર બેદરકારી જોવા મળી રહી છે . અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો અને કોન્ટ્રાકટરની બેદરકારી શહેરીજનોનો જીવ લેશે તેવી તસવીરો સામે આવી રહી છે .
આ ઉપરાંત વાળીનાથ ચોક BRTS કોરિડોર પાસે રેલિંગ હટાવ્યા બાદ લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે...તૂટેલા ડિવાઈડર અને બહાર આવેલા લોખંડના સળિયાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે...શહેરના વાળીનાથ ચોક BRTS કોરિડોર પાસે રેલિંગ હટાવ્યા બાદ લોખંડના સળિયાને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે.
તૂટેલા ડિવાઈડર અને બહાર આવેલા લોખંડના સળિયાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે..
એક મહિનાથી રસ્તા પર આ પ્રકારે સળિયા ખુલ્લા પડ્યા છે.એટલું જ નહીં તૂટેલા ડિવાઈડરને રિપેર ન કરાતા વાહન ચલાકો અહીંથી જોખમી રીતે ડિવાઈડર કૂદાવીને રસ્તો ઓળંગી રહ્યાં છે.જેને કારણે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે.રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોનો જીવ જોખમમાં છે, પરંતુ AC ઓફિસમાં બેસેલા AMCના અધિકારીઓને જાણે શહેરીજનોના જીવની કોઈ પરવાહ ન હોય તેમ કોઈ કામગીરી નથી કરવામાં આવી.ત્યારે હવે તંત્રના અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે ડિવાઈડર રિપેર કરશે તે જોવું રહ્યું.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



