સમાચાર સારાંશ: ટ્રમ્પે એ પણ જણાવ્યું કે તેમણે વડા પ્રધાન મોદી સાથે ઇમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, “મને આશા છે કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પાછા લેવા ભારત યોગ્ય પગલા ભરાશે.
ટ્રમ્પે વડા પ્રધાન મોદીને આપ્યું આમંત્રણ; ભારતના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અંગે કહી આ વાત 20 જાન્યુઆરી 2025માં યુએસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ યોજાઈ હતી.
આ સમારોહમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ ન મળવા બાબતે વિવાદ થયો હતો. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જ વડા પ્રધાન મોદીની યુએસ મુલાકાત (PM Modi US visit) અંગે માહિતી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાની મુલાકાત લેશે.
વોશિંગ્ટન ડીસીમાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ભારતના વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકરે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ વડા પ્રધાન મોદીએ પહેલી વાર તેમની સાથે ફોન પર વાતચીત હતી. રાજદ્વારી વર્તુળોમાં એવી ચર્ચા હતી કે બંને નેતાઓ વચ્ચે વહેલી મીટીંગ ગોઠવવા માટે ભારતીય પક્ષ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહી રહ્યા છે, એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે.
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ રહેશે મહત્વનો મુદ્દો:
દરમિયાન ટ્રમ્પે એ પણ જણાવ્યું કે તેમણે વડા પ્રધાન મોદી સાથે ઇમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, “મને આશા છે કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પાછા લેવા ભારત યોગ્ય પગલા ભરાશે.”
વ્હાઇટ હાઉસના એક નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચે વાતચીત પ્રોડક્ટીવ રહી, જેમાં બંને દેશો વચ્ચે સહયોગને આગળ વધારવા અને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા થઈ.
નિવેદન મુજબ, વડા પ્રધાન મોદીની સંભવિત યુએસ મુલાકાતની યોજનાઓ પર પણ ચર્ચા થઈ.
વડા પ્રધાન મોદીને યુએસ મુલાકાત:
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે ગત વર્ષે સપ્ટેમ્બરમાં યુએસ મુલાકાતે ગયા હતાં, તેઓ તત્કાલિન રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આયોજિત ચોથી ક્વાડ લીડર્સ સમિટમાં હાજરી આપવા માટે યુએસ ગયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બેનીઝ અને જાપાનના તત્કાલિન વડા પ્રધાન ફુમિયો કિશિદાએ પણ હાજરી આપી હતી.
વડા પ્રધાન મોદીએ ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં સંબોધન આપ્યું હતું.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



