સમાચાર સારાંશ: ગામમાં ખુલ્લી ગટર મૂકવાથી લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના માંડવા ગામમાં ગ્રામ પંચાયતના સતાધીશો ઉપર ગ્રામજનોના દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો
Junagadh ભેસાણ તાલુકાના માંડવા ગામમાં Development વિકાસના નામે મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે Government Gujarat સરકાર તરફથી તો લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ અહીં ગ્રાન્ટના રૂપિયાથી વિકાસના નામે મસમોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે
બાઈટ :- 1 નરશીભાઈ સોજીત્રા , ગ્રામજન
બાઈટ :- 2 સાગરભાઈ રાખસિયા , ગ્રામજન
બાઈટ :- 3 ભરતભાઈ હરખાણી, ગ્રામજન
ગ્રામ પંચાયત દ્વારા માંડવા ગામમાં કચરાપેટી માત્ર એકવાર કચરો ભરાઈ ગયા પછી ગ્રામ પંચાયત ઓફિસે એકઠી કરી પંચાયતના સત્તાધિશો દ્વારા ધૂળ ખાવા મૂકી દીધી હાલ ચાંદીપુર વાયરસથી લોકોમાં ભયનો માહોલ છે ત્યારે ગામલોકોના સ્વાસ્થ્ય રામ ભરોસે હોય તેવું દેખાઈ રહ્યું છે ગામના રહીશ નરસિંહભાઈ જણાવ્યું હતું કે એક લાખ જેવા ખર્ચથી પુલ બાંધવામાં આવ્યો છે જેમાં પ્રથમ વખતમાં જ ડમ્પર ચાલતા પાંચ થી સાત ફૂટનું ગાબડું પડી ગયું,
ગામમાં હવાડો તો બનાવવામાં આવ્યો છે પણ પાણી હજી સુધી ભરાયું નથી એટલું જ નહીં ગામમાં ખુલ્લી ગટર મૂકવાથી લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે ગ્રામજનો ઉપર સ્વાસ્થ્યનો ખતરો છે અગાઉના સમયમાં ગામમાં Toilet ટોયલેટ બનાવવામાં આવેલા છે એ ધૂળ ખાય છે અને બીજા નવા ટોયલેટ બનાવવામાં આવી રહ્યા છે એટલે તેમાં ભ્રષ્ટાચાર કરી શકાય, હવે જુવો Grampanchayat ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી અનુંસૂચિત સમાજના અને ગામના નાગરિક સાગરભાઇ રાખસિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયત તરફથી અમોને 16 વર્ષથી સરકાર દ્વારા મંજૂર થયેલી 100 વાર પ્લોટની સન્નત આપી દેવામાં આવી છે પરંતુ પંચાયત દ્વારા હજુ સુધી અમને પ્લોટ ફાળવવામાં નથી આવ્યો નરસિંહભાઈ સોજીત્રાએ વધુમાં જણાવ્યું હતું કે વિકાસના કામો માત્ર કાગળ ઉપર છે. ભ્રષ્ટાચારથી જ કામ કરવામાં આવે છે અમારી પંચાયત તાલુકામાં પહેલા નંબરે ભ્રષ્ટાચારમાં આવે છે ભ્રષ્ટાચાર ને લઈને ગ્રામજનોએ સરપંચ અને ઉપસરપંચ સાથે ઉગ્ર માંગણી કરી
રિપોર્ટ :- પરેશ વાઢિયા (જૂનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



