સમાચાર સારાંશ: ગુજરાતમાં કલાલક્ષી, રસાનંદમય વાતાવરણનુ નિર્માણ થઈ રહ્યું છે. લોકોમાં જિજ્ઞાસા છે, કુતુહલ છે, તાલાવેલી છે કે 'કલાતીર્થ' દ્વારા અમે પછીના ગંગોત્રીગ્રંથો કયા હોઈ શકે..?
'કલાતીર્થ'નો આશય છે કલાવારસાના વૈભવના ગ્રંથપ્રાગટ્ય થકી સાંસ્કૃતિક ચેતનાનું સન્માન સંવર્ધન, સંસ્કરણ કરવાનો. રસાનંદમયી કલાને આપણે સાંસ્કૃતિક, સામાજિક, ચેતનાના વિલાસ તરીકે જોવી જોઈએ. એ અનેક પ્રતિભાશાળી અને તેજસ્વી આત્માઓએ માનવતાને અર્પણ કરેલ ઉત્તમ સર્જનશીલતા છે. એને ન ભૂલવી જોઈએ, ન તો એની અવગણના થવી જોઈએ.. દેશકાળ એવા છે કે માણસ નિરાંતે કલા અને સંસ્કૃતિ વિશે વિચારશીલ બની શકે તેમ નથી.
ભૌતિકતાની ભરમાર અને વસ્તુ સંગ્રહની લોલુપતાનો આ કાળ છે... ગામડાઓ સુધી સ્ટ્રેસ, ડિપ્રેશન, મેન્ટલ ડીસઓર્ડર જેવા સૂક્ષ્મ પરંતુ ઘાતક રોગો પહોંચી ગયા છે.. માણસ એક પ્રકારની તાણમાં, અદ્રશ્ય ઓથારમાં જીવવા લાગ્યો છે. ઉપરથી સોશિયલ મીડિયાનો ભયંકર પ્રભાવ છે. આ બધાંને કારણે માણસના જીવનમાંથી આનંદ, શાંતિ, રસ, સૌંદર્ય જેવા શબ્દો અળગા થતાં થાય છે.. આવી સાર્વત્રિક વિધાતક માનવીય સ્થિતિમાં કેવળ કલાજ માણસને આધાર આપી શકે તેમ છે. એટલે જ 'કલાતીર્થ' ઉત્તમ કલાસામગ્રી સર્વ સુજ્ઞરસિક ગુજરાતીઓ સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.. આજ સુધીના જે પણ ગ્રંથો પ્રકાશિત કર્યા છે તેનો આશય ગુજરાતમાં કલાભાવના દ્રઢ થાય અને માનવીય મૂલ્યોનુ સુંદરતમ જતન થાય, સંવર્ધન થાય એ જ રહ્યો છે..
આનંદ એ વાતનો છે કે ધીમેથી પણ મક્કમપણે ગુજરાતમાં કલાલક્ષી, રસાનંદમય વાતાવરણનુ નિર્માણ થઈ રહ્યું છે. લોકોમાં જિજ્ઞાસા છે, કુતુહલ છે, તાલાવેલી છે કે 'કલાતીર્થ' દ્વારા અમે પછીના ગંગોત્રીગ્રંથો કયા હોઈ શકે..? અમને મળતા પ્રતિભાવો, મીડિયામાં લેવાતી નોંધ, વૈયક્તિક રિવ્યુ એ બધું ગુજરાતમાં આવેલી સકારાત્મક ભરતીના એંધાણ છે
શિલ્પ અને સ્થાપત્ય વિષયક લેખો સમગ્ર ગુજરાતી સાંસ્કૃતિક ધારામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગુજરાત કોઈ રીતે, કોઈપણ સ્તરે નબળું રહ્યું નથી .તમામ ક્ષેત્રે એનું પ્રદાન ઉત્કૃષ્ટ અને અભિનંદનય રહ્યું છે. કલાકેન્દ્રી સંશોધન, સંપાદન, વિવેચન અને લેખનમાં ગુજરાતીઓનો ફાળો મોટો છે. પોતાનો ધર્મ માનીને, પોતાના જીવનના આશય તરીકે જ સ્વીકારીને અનેક લેખકોએ શિલ્પ સ્થાપત્યના વિવિધ અંગો વિશે પાયાની અને મહત્વની ક્ષિતિજોનો વિસ્તાર કર્યો છે. કુમારમાં સમયક્ અને સાદર એનો સ્વીકાર થતો રહ્યો છે. કુમાર જેટલું શિલ્પ- સ્થાપત્યનું બહુગામી વિવેચન, વિવરણ અન્યત્ર ક્યાંય પણ ગુજરાતી ભાષાક્ષેત્રે થયું નથી. એટલેજ, કુમારની શિલ્પ અને સ્થાપત્ય લક્ષી સામગ્રીથી કોઈ અજાણ ન રહે એવા આશયથી જ આ કલાગંગોત્રી ગ્રંથનું આયોજન કર્યું છે. કુમારના દ્રષ્ટીવંત તંત્રીશ્રીઓએ એવી સામગ્રીને ચિત્રો કે રેખાંકનો સાથે પ્રકાશિત કરી હતી. સ્વાભાવિક છે કે આજના જેવી ટેકનોલોજી કે સગવડો એમની પાસે નહોતા છતાં એમણે સિદ્ધ કરેલા પરિણામો આપણને આચાર્યચકિત કરે એટલા આગવા રહ્યા છે..
ખૂબ આનંદ છે કે "કુમાર"ના અર્ક અને આત્માને આપ સર્વ સમક્ષ મૂકી શકાયો છે. આ ગ્રંથના સંપાદનનું મહત્વ અને અગત્યનું કાર્ય ઉત્તમ રીતે કરી આપનાર નિસર્ગ આહીરનો ખાસ રૂણી છું ગુણાનુંરાગી સર્વ જનચેતનાનો પણ આભારી છું.. કેમ કે આપ સર્વની પ્રેરક સહાયથી મારી કલાયાત્રા ગતિશીલ અને ગુણવંતી રહી છે.. આ પવિત્ર કાર્યમાં મારી પડખે ઊભા રહીને મારા કાર્યને પ્રમાણ્યુ છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક શ્રી નિરંજન રાજ્યગુરુ, આનંદ આશ્રમ- ઘોઘાવદર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના પૂર્વ પ્રોફેસર અને અધ્યક્ષ- ગુજરાતી વિભાગ ડૉ.અંબાદાન રોહડિયાસાહેબનો હૃદયસ્થ ભાવધરીને સૌનો આભાર માનીને અંતરની લાગણી વ્યક્ત કરું છું.. "કુમાર" એક સદીની કલાયાત્રા: શિલ્પ- સ્થાપત્યસંપદા- ભાગ=2 કલા ગંગોત્રી ગ્રંથ 18 ના નિર્માણમાં ભાવપુષ્પો અર્પણ કરીને સહયોગી બનેલા મારા પરમ આદરણીય જયંતિકાકા તથા કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. સુરતનો હરખના હેતથી આભાર માની ચરણ વંદન કરું છું... 356 સુવર્ણ પુષ્ટે આકાર પામેલો આ કલાગંગોત્રી -ગ્રંથ આપના ચરણોમા અર્પણ કરતા ધન્યતા અનુભવું છું.. આજના આ ગૌરવંતા પવિત્ર દિવસે આપણને સૌને માં શારદા વધુ ઉન્નત, વ્યાપક ,ગહન સેવા કરવાનુ બળ આપે અને કલા વિશ્વ વિચાર બને તેવી પ્રાર્થના સાથે વિરમું છું.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



