હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ જાણો ચોમાસું કેવું રહેશે અને ગરમી મળશે છુટકારો
આ વખતનું ચોમાસું ખૂબ જ સારૂ રહેશે: પરેશ ગૌસ્વામી
પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસશે તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસું 3 દિવસ વહેલું પહોંચશે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જશે. યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. 14-15 જૂન સુધીમાં ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચશે. 27 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર રાજ્યને કવર કરી લેશે. આ વખતનું ચોમાસું ખૂબ જ સારૂ રહેશે.
હીટવેવનો વધુ એક રાઉન્ડ!
ગરમીને લઈ આગાહી કરી છે કે, રાજ્યમા ફરી હીટવેવનો રાઉન્ડ આવશે. 18થી 22 મે સુધી તપામાનમાં વધારો થશે. તાપમાનમાં દરરોજ 1 ડિગ્રીનો વધારો થશે અને 42થી 44 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે તો કેટલાક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ તપામાન નોંધાશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વંટોળની આગાહી કરતા કહ્યું કે, 24 મેથી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. તપતા તાપ વચ્ચે કયાક કમોસમી માવઠું વરસ્યો છે. જો કે, કોમસમી વરસાદ બાદ ફરી એક મુસીબતની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તેમણે બે ચક્રવાત આવવાની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વંટોળની આગાહી કરતા કહ્યું કે, 24 મેથી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે. વધુમાં કહ્યું કે, ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે.