સમાચાર સારાંશ: ભાજપ તરફી ક્ષત્રિય નેતા, ધારાસભ્યોએ ઘરમાં છુપાઈ રહેવા મજબૂર થવુ પડ્યુ છે. મંત્રી બળવંતસિંહ રાજપૂત, આઈ.કે.જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા જેવા ઘણાં નેતાઓને ભાજપે ક્ષત્રિયોને સમજાવવાની જવાબદારી સોંપી હતી પણ આ બધાય નેતાઓ સદંતર નિષ્ફળ રહ્યા હતાં.
KSHATRIY SAMAJ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પ્રચારને વધુ જોશીલો બનાવવા તૈયારીઓ આદરી છે. બે દિવસ પહેલા ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કુલ મળીને 40 સ્ટાર પ્રચારોની યાદી જાહેર કરી હતી. ક્ષત્રિયોના વિરોધવંટોળ વચ્ચે ફરી ભાજપે પરષોત્તમ રૂપાલાને સ્ટાર પ્રચારક બનાવી દેતાં પણ ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જોતાં આ વિવાદ વધુ ઘેરો બને તેવી સંભાવના છે. ક્ષત્રિયોમાં હવે ઠેર ઠેર ભાજપના આ નિર્ણયને લઈને પણ રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે.પી.નડ્ડા, યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઇરાની, નિતિન ગડકરી, હેમંત બિસ્વા, મનોજ તિવારી ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો સમાવેશ કરાયો છે. ક્ષત્રિયો અંગેની ટિપ્પણીને લઈને પહેલાથી રૂપાલા સામે રોષ યથાવત્ છે અને હવે ભાજપે સ્ટાર પ્રચારકની યાદીમાં રુપાલાને સ્થાન આપી ક્ષત્રિયોના ઘા પર મીઠું ભભરાવાનું કામ કર્યું હોય તેવું લાગે છે જેના લીધે વિરોધ વંટોળ વધતો જઈ રહ્યો છે. ગઇકાલે જ રાજકોટમાં મોટાપાયે મહાસંમેલનમાં ભાજપ સામે ચેતવણી ઉચ્ચારી દેવામાં આવી હતી કે જો આગામી 19 એપ્રિલ સુધી રુપાલાની ટિકિટ રદ નહીં કરાય તો દેશભરમાં ક્ષત્રિયોનું આંદોલન વકરશે. જે ભાજપને ભારે પડી શકે છે.
KSHATRIY SAMAJ રૂપાલા ટિપ્પણી વિવાદ વકરતાં ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની છે. આ બધાય નેતાઓ નું ઘરના, ન ઘાટના રહ્યા છે. એટલુ જ પરિસ્થિતી એવી સર્જાઈ કારર્કિદી રોળાઈ શકે છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



