સમાચાર સારાંશ: ધનના દેવતા કુબેરની વાત કરીએ તો જ્યોતિષમાં કુબેર દેવના વિશેષ આશીર્વાદ 4 રાશિઓ પર તેમની કૃપા બતાવવામાં આવી છે.
કુબેર દેવ (kubera dev ) ધનના (money)દેવતા છે. દિવાળી પર માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને કુબેરની પૂજા (pooja)કરવામાં આવે છે, જેથી તેમના આશીર્વાદથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર એવી 4 રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે. જેના પર ભગવાન ધનકુબેર વિશેષ કૃપા રહેલી છે.
વૈદિક જ્યોતિષ (astrology) શાસ્ત્ર અનુસાર દરેક રાશિનો કોઈ ને કોઈ સ્વામી હોય છે. એ જ પ્રમાણે ગ્રહોની સાથે રાશિચક્રના સંકેતો પણ વિવિધ દેવી-દેવતાઓથી પ્રભાવિત રહે છે. ધનના દેવતા કુબેરની વાત કરીએ તો જ્યોતિષમાં કુબેર દેવના વિશેષ આશીર્વાદ 4 રાશિઓ પર તેમની કૃપા બતાવવામાં આવી છે.

વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, અને શુક્ર દેવતા ધન- સંપત્તિ, વૈભવ અને ભવ્યતાના કારક છે. કુબેર દેવ અને માતા લક્ષ્મી પણ ધન અને સમૃદ્ધિના સ્વામી છે. તેથી વૃષભ રાશિના લોકો પર તેમની વિશેષ કૃપા રહેલી છે. અને તેમના (life) જીવનમાં ક્યારેય ધનની કમી આવવા દેતા નથી.
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, અને આ રાશિ પણ ભગવાન કુબેરને ખૂબ પ્રિય છે. કર્ક રાશિના લોકો પણ ધનકુબેરની કૃપાથી આલીશાન જીવન જીવે છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં ધન -દૌલત કમાય છે.
તુલા રાશિનો સ્વામી પણ શુક્ર છે, અને આ રાશિના જાતકો પર ભગવાન કુબેરની વિશેષ કૃપા રહે છે. જો આ લોકો ગરીબ પરિવારમાં જન્મ્યા હોય તો પણ અમીર બની જાય છે. તેમને તેમના જીવનમાં ખૂબ જ ધન અને સમૃદ્ધિ મળે છે.
ધનુ રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુ સુખ, સૌભાગ્ય અને જ્ઞાનનો કારક છે. આ લોકો મહેનતુ, પ્રમાણિક અને સત્યવાદી હોય છે. તેઓ (business) રોકાણની બાબતો વિશે પણ ખૂબ જ જાણકાર છે. આ રાશિના જાતકો પણ તેમના જીવનમાં ખૂબ સુખ- સંપત્તિ મેળવે છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



