સમાચાર સારાંશ: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની એક ઝલક મેળવવા રથયાત્રાના રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું
રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચ્યા ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ
રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુર પહોંચી ગયા છે. ગજરાજના આગમન સાથે જ ભાવિકોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર ના નારા લગાવ્યા હતા. ભગવાનના મોસળ સરસપુરમાં જાણે કે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ છે.

ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં ભાવિકો તેમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સવારથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સરસપુરની આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચ્યા છે.અમદાવાદમાં નીકળેલી રથયાત્રાને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની એક ઝલક મેળવવા રથયાત્રાના રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું છે.
ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.
અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી રહ્યા છે. ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.
આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે.
ભક્તોની ભીડ ઉમટી પડી છે અને જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



