ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભગવો લેહરાય માટે ભાજપની તૈયારી
વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રમાણેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા માટે ગુજરાત પ્રવાસ શરૂ કરી દીધો છે આવતીકાલથી વડાપ્રધાન પણ બે દિવસ ગુજરાત પ્રવાસે છે પ્રથમ અને દ્વિતીય ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયેલ છે આગામી 7 મે ના રોજ ત્રુતીય ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે જેમાં 19 રાજ્યો 1 એક કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે પરંતુ સૌ કોઈની નજર ગુજરાત ઉપર રહેલી છે
છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં એક હથું શાસન છે. ચૂંટણી પહેલા જ સુરતમાં ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે એટલે ભાજપ ને 25 માંથી 25 બેઠક હાંસલ કરવા અને 5 લાખ ની લીડ માટે કમર કસી છે. કોંગ્રેસ દ્વારા જે રીતે ભાજપને મેન્યુફેસ્ટોને જુમલાપત્ર કહેવામાં આવ્યું છે તેને લઈ ભાજપ એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મોદી સરકાર દ્વારા આ સંકલ્પ પત્ર નથી પરંતુ ગેરંટી પત્ર છે જે વાયદા અથવા જે સંકલ્પ લેવામાં આવે છે તે પૂર્ણ કરવામાં આવે છે કોંગ્રેસ સરકારમાં માત્ર સંકલ્પ પત્રમાં વાયદા કરવામાં આવતા હતા
કોંગ્રેસના આગેવાનો જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવે એમ જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય તેને લઈને જે પ્રમાણે વિવાદિત નિવેદનો કરે છે તેને વખોડતા ભાજપે જણાયું કે હવે કોંગ્રેસ ક્યાંય જમીનની સ્તર પર રહી નથી કોંગ્રેસ હવે હાર ભાળી ગઈ છે માટે તેમના નેતાઓ આ પ્રમાણેનો નિવેદન કરી પોતાની છબી ખરીડી રહ્યા છે જેમને રાજા રજવાડા અને ગુજરાતના ઇતિહાસની ખબર નથી એ હવે આ પ્રમાણેની વાતો કરે તે ગળે ઉતરે તેમ નથી.
?ref_src=twsrc%5Etfw">April 30, 2024
ત્રીજા તબક્કાનો મતદાન જે થવાનું છે તેને લઇ ભાજપના દેવ દુર્લભ કાર્યકરોની ફોજ તૈયાર છે ઘરે ઘરે જઈને લોકોને વધુમાં વધુ મતદાન કરે તેના માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે આ વખતે ફરી એકવાર મોદી સરકાર આવવાની છે અને તમામ બેઠકો પર જંગી લીડના માધ્યમથી ફરી ભગવો લહેરાશે. વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તે પ્રમાણેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.