સમાચાર સારાંશ: પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન અંગત હુમલા સાથે જોડાયેલા સવાલના જવાબ આપતા કહ્યું હતું કે, 'ભૂતકાળમાં કોઈએ મને મોતનો સોદાગર તો કોઈએ મને ગંદી નાળાનો કીડો કહ્યો હતો. 24 વર્ષથી મારી સાથે થઈ રહેલા આવા વ્યવ્હારથી હવે હું ગાલીપ્રૂફ બની ગયો છું.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરવ્યું આપતા વધુમાં કહ્યું કે, 'સંસદમાં અમારા એક સહયોગીએ 101 અપશબ્દોની ગણતરી કરી હતી, ચૂંટણી હોય કે ન હોય, આ લોકો માને છે કે અપશબ્દ આપવાનો તેમનો અધિકાર છે અને તેઓ એટલા હતાશ-નિરાશ થઈ ગયા છે કે ગાળો અને અપશબ્દોનો બોલવા તેમનો સ્વભાવ બની ગયો છે.
ઓડિશાને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'ઓડિશાનું ભાગ્ય બદલવાનું છે. ત્યાં સરકાર બદલાઈ રહી છે. વર્તમાન ઓડિશા સરકારની છેલ્લી તારીખ 4 જૂન છે અને 10 જૂને ભાજપના મુખ્યમંત્રી ઓડિશામાં શપથ લેશે.'
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



