સમાચાર સારાંશ: પ્રયાગરાજ તરફ જતા વાહનોને વિવિધ જિલ્લાઓમાં રોકવામાં આવી રહ્યા છે
પ્રયાગરાજની સરહદો બહારના વાહનો માટે સીલ , નાસભાગ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો
Mahakumbh Stampede: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં 10થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે હવે આ નાસભાગ બાદ મહાકુંભ જવું મુશ્કેલ થઈ ગયું છે. નાસભાગ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.
હવે પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ કરી દીધી છે. પ્રયાગરાજ તરફ જતા વાહનોને વિવિધ જિલ્લાઓમાં રોકવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજની સરહદો બહારના વાહનો માટે સીલ કરી દેવામાં આવી છે. બહારના જિલ્લાઓથી પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવીને બ્લોક કરી દેવામાં આવ્યા છે.
महाकुंभ में सबकुछ ठीक है!
— Panchjanya (@epanchjanya) January 29, 2025
महाकुंभ हादसे के बाद संगम के सभी घाटों पर शांतिपूर्वक हो रहे स्नान का ड्रोन वीडियो आया सामने!
प्रयागराज में महाकुंभ मेले में भगदड़ के बाद समाचार एजेंसी पीटीआई और डीडी न्यूज़ ने संगम में मौनी अमावस्या के दिन स्नान करने आए श्रद्धालुओं का ड्रोन वीडियो… pic.twitter.com/1ieaUnTwFP
ભદોહી, સોનભદ્ર, મિર્ઝાપુર, કૌશાંબી, જૌનપુરમાં પોલીસ વહીવટી ટીમો પ્રયાગરાજ જતા વાહનોને રોકી રહી છે અને તેમને પરત મોકલી રહી છે. વારાણસીથી પ્રયાગરાજ જતા વાહનોને ભદોહીના બાબુરાસાઈમાં રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે અનેક કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી જાય છે. હાઇવેની એક બાજુ આખી ટ્રાફિક જામ છે. વારાણસીમાં, પ્રયાગરાજ તરફ જતા વાહનોને મિર્ઝામુરાદના રખુના ખાતે રિંગ રોડ પાસે રોકવામાં આવ્યા છે.
જૌનપુરથી વારાણસી જતા વાહનોને બાબતપુર વિસ્તારમાં રોકીને પરત મોકલવામાં આવી રહ્યા છે. બાબતપુર ચોકી ઇન્ચાર્જ સત્યજીત સિંહે જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓના આદેશ પર પ્રયાગરાજમાં ભારે ભીડના કારણે શ્રદ્ધાળુઓને રોકવામાં આવી રહ્યા છે. જેના કારણે બાબતપુર ચાર રસ્તા પરથી પસાર થતા બાસની બારાગાંવ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.
બીજી તરફ જૌનપુર-વારાણસી રોડ પર પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. વારાણસીમાં જ મિર્ઝામુરાદ ક્ષેત્રના ગુડિયા ગામ પાસે પણ પ્રયાગરાજ તરફ જતા વાહનોને બેરિકેડિંગ કરીને રોકવામાં આવ્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



