સમાચાર સારાંશ: મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈથી રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનું ખાનગી વિમાન જ્યારે બારામતી એરસ્ટ્રીપ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાન નિયંત્રણ બહાર ગયું હતું અને રનવે પાસે ક્રેશ થયું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન સાથે બારામતીમાં લેન્ડિંગ દરમિયાન એક દુર્ઘટના ઘટી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી અને અજિત પવાર ગંભીર રીતે ઘાયલ થઈ હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. હાલમાં આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો અને વિમાનમાં થયેલા નુકસાનની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, તેમજ વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અજિત પવારનું પ્લેન ક્રેશ.
બારામતીમાં અજિત પવારના વિમાનની દુર્ઘટના, જાણો કોણ કોણ હતું સવાર
મુંબઈ: મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈથી રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનું ખાનગી વિમાન જ્યારે બારામતી એરસ્ટ્રીપ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાન નિયંત્રણ બહાર ગયું હતું અને રનવે પાસે ક્રેશ થયું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાયલટે વિમાનને સુરક્ષિત ઉતારવા પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી.
Ajit Pawar’s aircraft made a crash-landing. As per initial information, 4–5 people are reported injured. Official confirmation is awaited.#AjitPawar #BreakingNews #PlaneLanding #Update pic.twitter.com/AWhuAJhO5V
— Anuvesh Rath (@AnuveshRath) January 28, 2026
કોણ કોણ હતું સવાર?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વિમાનમાં અજિત પવારની સાથે તેમના અંગત સચિવ, બે સુરક્ષા ગાર્ડ અને પાયલટ સહિત કુલ 5 થી 6 લોકો સવાર હતા. જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે આખો વિસ્તાર અચાનક ધણધણી ઉઠ્યો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે હાલ અજિત પવારની ગંભીર હોવાની જાણવા મળી રહ્યું છે.
અજિત પવાર આજે સવારે મુંબઈથી બારામતી જવા માટે રવાના થયા હતા. તેઓ પોતાના મતવિસ્તારમાં ખેડૂતોના એક વિશાળ સંમેલન અને વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. આ માટે તેઓ સવારે આશરે 9:00 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પરથી રવાના થયા હતા. કાર્યક્રમના સ્થળે હજારોની સંખ્યામાં સમર્થકો તેમની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ લેન્ડિંગના થોડા સમય પહેલા જ આ અકસ્માત સર્જાતા કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
અત્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. એવિએશન સેફ્ટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે કે શું આ દુર્ઘટના પાછળ કોઈ જૂનું એન્જિન જવાબદાર હતું કે પછી લેન્ડિંગ સમયે કોઈ અન્ય ખામી સર્જાઈ હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



