સમાચાર સારાંશ: પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આગ ઓલવવા માટે ત્રણ ફાયર ટેન્ડરો તહેનાત કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી બંગલાની નજીક એક ઈમારતમાં ભીષણ આગ લાગી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી બંગલાની નજીક આવેલા રાજ્યના સચિવાલયની નજીકમાં જ એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આગ ઓલવવા માટે ત્રણ ફાયર ટેન્ડરો તહેનાત કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
Meitei terrorist set Kuki_Zo house in Imphal. This is contempt of court. The state government must be held responsible for this. @AnusuiyaUikey @manipur_cmo @DelhiPolice @LiveLawIndia @official_dgar @manipur_police pic.twitter.com/wDKbRxQofF
— Pauboi (@pbkhuptong) June 15, 2024
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે, જ્યારે મોટા પાયે આગ લાગવાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરની આગની ઘટનામાં ઘર અને સરકારી ઈમારતો પણ લપેટમાં આવતા રાખ થઈ ગયા હતા. અહીં છેલ્લા કેટલાક દિવસોમાં જીરીબામમાં હિંસાનો નવો દોર શરૂ થયો છે. મણીપુરમાં છેલ્લા એક વર્ષથી બે સમુદાય વચ્ચે ફાટી નીકળેલી હિંસા હજી પણ બંધ થઈ નથી તેને કારણે દેશ સહિત દુનિયાભરમાં મણીપુર હિંસાને લઈને ટીકાઓ પણ થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024 માં પણ મણીપુર મુદ્દો તમામ રાજકીય પક્ષોએ આવ્યો હતો. વિપક્ષનો હંમેશા આક્ષેપ રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણીપુર હિંસાને લઈને તેના લોકો સાથે મુલાકાત કરીને નથી તે કરવી જોઈએ તાજેતરમાં મણીપુરના મુખ્યમંત્રી ના કાફલા ઉપર પણ હુમલો થયાના સમાચાર હતા આ અકસ્માત હતો કે હુમલો તે અંગે પણ સવાલો ઉઠ્યા છે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



