સમાચાર સારાંશ: અનેક વિસ્તારોમાં એલર્ટ
જૂનાગઢ જિલ્લામાં મેઘ મહેર યથાવત વાવણી પર કાચું સોનુ વરસ્યું માળીયા હાટીના અને માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ
જૂનાગઢ જિલ્લામાં સાંજે 7 વાગ્યાથી મેઘરાજાની એન્ટ્રી જિલ્લાના મોટા ભાગમાં તાલુકાઓમાં મેઘ મહેર યથાવત
જુનાગઢ જિલ્લામાં વાવણીના વરસાદ બાદ યોગ્ય વરસાદ ની ખેડૂતો ને પણ રાહ હતી .વાવણી દરમિયાન ખેડૂતો દ્વારા વાવેલ મગફળી તો ઊગી ગઈ હતી પરંતુ મગફળી ઉગ્યા બાદ જોરદાર વરસાદની જરૂર હતી ત્યારે આજે સાંજે 7 વાગ્યાથી જિલ્લાના માળીયાહાટીના અને માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો વાવણી બાદ નો આ પ્રથમ વરસાદ હોય ત્યારે છેલ્લા 3 દિવસથી ગરમી યથાવત હતી જેમાં આજે મેઘરાજાએ પધરામણી કરી દેતા ખેડૂતો માટે સોના જેવું વર્ષ સાબિત થશે તેવી ધારણા કરવામાં આવી રહી છે
હાલ વરસાદી માહોલ યથાવત છે અને સાથે વીજળીના ચમકારા પણ લોકોને ડરાવી રહિયા છે કેમ કે માળીયા હાટીના તાલુકા માં વીજળી પડવાની ઘટના સામે આવી હતી ત્યારે વીજળીને લઈ ને લોકોમાં થોડો ડર સેવાઈ રહ્યો છે મળતી માહિતી પ્રમાણે ધોધમાર વરસાદ શરૂ છે ત્યારે આજે રાત આખી વરસાદ વરસે તેવી શક્યતા છે તેવામાં નદી નાળાઓ છલકાય અને વહેતા થાય તો નવાઈ નહીં
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સિવાય આજે દસક્રોઈમાં 22 મિમી, કચ્છમાં ભચાઉમાં 20 મિમી, બનાસકાંઠાના વડગામમાં 17 મિમી, સાબરકાંઠાના વિજયનગરમાં 15 મિમી, જૂનાગઢના વિસાવદારમાં 15 મિમી અને ખેડાના મહુવામાં 15મિમી, ખેડાના માતરમાં 59 મીમી, ખેડામાં 55 મિમી આણંદના તારાપુરમાં 44 મીમી અને આણંદના નડિયાદમાં 35 મિમી, સુરતના ઓલપાડમાં 32 મીમી, બનાસકાંઠાના દાંતામાં 28 મીમી,
ગાંધીનગરના દહેગામમાં અને પોરબંદરના રાણાવાવમાં 25 મીમી, ભાવનગરના તળાજામાં 24 મીમી, ગીર સોમનાથના ઉનામાં 23 મીમી વરસાદ નોંધાયો છે.
આજે છેલ્લા બે કલાક દરમિયાન રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી લોધિકા ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં સવા 3 ઈંચ, અમરેલીના લાઠીમાં પોણા 2 ઈંચ, રાજકોટના જામકંડોરણામાં પોણા 2 ઈંચ, કચ્છના અબડાસામાં અને મોરબીના માળિયામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



