સમાચાર સારાંશ: રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. અને રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી પણ છે. શહેરોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
રાજસ્થાનના મંત્રીએ કહ્યું હું ફૂંક મારીને પાણી ન લાવી શકું
રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. અને રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી પણ છે. શહેરોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે રાજસ્થાનના પાણીપુરવઠા મંત્રી કનૈયા લાલ ચૌધરીએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે. કન્હૈયા લાલ ચૌધરીએ કહ્યું હતું કે 'અમે એટલું જ પાણી આપી શકીએ છીએ જેટલું અમારી પાસે છે.
હું ફૂંક મારીને કે હનુમાનજી બનીને તરત જ પાણી લાવું એ શક્ય નથી.' મંત્રીએ વધુમાં કહ્યું હતું કે 'આ વર્ષે બિસલપુરમાંથી વધારાનું પાણી લેવામાં આવ્યું છે. જ્યાં પણ પાણીની માંગ હશે ત્યાં જરૂરિયાત મુજબ પુરું પાડવામાં આવશે.' આ ઉપરાંત કનૈયા લાલ ચૌધરીએ લોકોને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી
જ્યાં પીવાના પાણીની સમસ્યા વિકટ છે ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ લોકોએ પણ પાણી પ્રત્યે સમજવું પડશે અને પાણીનો વપરાશ જે છે તે સમજીને કરવો પડશે પાણીનો વેડફાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



