મોદી સરકારના પાંચ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો ભાજપના 400 પ્લસના દાવા પોકળ સાબિત થયા
ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો
લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થઈ ગયા હતા. જેમાં ભાજપના 400 પ્લસના દાવા પોકળ સાબિત થયા છે. અને જનતાએ પોતના મતથી જવાબ આપી દીધો છે. લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો મોદી સરકારના પાંચ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સ્મૃતિ ઈરાનીનો પણ સમાવેશ થાય છે. તો કેટલાક મંત્રીઓ જીત્યા તો ખરાં પણ તેની જીતનું માર્જિન ખૂબ જ ઓછું રહ્યું છે.
ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો
લોકસભા ચૂંટણી-2024ના પરિણામોમાં ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો થયો છે. આંકડાઓ અનુસાર એનડીએ ગઠબંધન ભલે બહુમતનો આંકડો પાર કરી ગયો હોય, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતીથી દૂર જણાઈ રહ્યું છે. ભાજપના ઘણા મોટા નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ પણ હારનો સ્વાદ ચાખ્યો છે. જેમાં કેટલાક કેબિનેટ મંત્રીઓ પણ સામેલ છે. મોદી સરકારના એવા ઘણા મંત્રીઓને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે કે, જેઓ પોતાની ખુરશી પણ બચાવી શક્યા નથી. કેટલાક નેતાઓએ ખૂબ જ ઓછા માર્જિનથી જીત થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે જનતાએ સતત ત્રીજી વખત એનડીએ પર વિશ્વાસ રાખ્યો છે. જે બદલ હું જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરું છું. સાથે જ મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ સાથે જ ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત અંગે ખુશી વ્યક્ત કરી હતી.