સમાચાર સારાંશ: ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.
ભારતમાં ઉત્તરથી દક્ષિણ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ૨૦૦ કરતા પણ વધુ લોકોના મોત કેદારનાથ વિસ્તારમાં ફરીથી વાદળ ફાટયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું
વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ૨૦૦ કરતા પણ વધુ લોકોના મોત થયા છે બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૩૧ જુલાઇથી કેદારનાથમાં ભારે વરસાદના પગલે મંદિર તરફ જતો સોનપ્રયાગ અને ગૌરીકુંડ માર્ગ વચ્ચેના માર્ગ ધોવાઇ ગયા છે. કેદારનાથ વિસ્તારમાં ફરીથી વાદળ ફાટયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
Over 20 people killed, hundreds stranded , #CloudBurst #Landslides washing away what once were happy Pahadi homes, Raging rivers and hundreds stranded,race against time to save lives. That's How #Himachal will remember #Rain for 2024 and every year after it because there is no… pic.twitter.com/BeRJJKwQWM
— Sumedha Sharma (@sumedhasharma86) August 1, 2024
જો કે મૌસમ વિજ્ઞાાનની ગણતરી મુજબ એક કલાકમાં ૧૦૦ મીમી કરતા વધારે વરસાદ થાયતો તેને વાદળ ફાટવાની સ્થિતિ માનવામાં આવે છે. નૈનિતાલ અને દહેરાદૂનમાં એક કલાકમાં ૫૦ મીમી કરતા વધારે વરસાદ નોંધાયો હતો. વરસાદની બદલાઇ રહેલી પેટર્નને જળવાયુ પરિવર્તન સાથે જોડવામાં આવી રહી છે. પર્વતીય વિસ્તારોમાં ઓછા સમયમાં વધુ વરસાદ ભૂસ્ખલનની આફત લાવે છે. ચટ્ટાનોમાં પાણી વધારે સમય ભરાઇ રહેવાથી તૂટવા લાગે છે.
જયાંથી પગપાળા પસાર થવાતું હતું તે રસ્તાઓનું પણ નામોનિશાન મટી ગયું છે. ભારે વરસાદના લીધે જમીનની માટી નદીમાં તણાવાથી અને પહાડો સરકવાથી સોનપ્રયાગના મુખ્ય બજારથી અંદાજે ૧ કિમી આગળનો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે. એટલું જ નહી સોનપ્રયાગથી આગળ ગૌરીકુંડની આસપાસ જંગલ ચટ્ટી, ભીમબલી પોલીસ ચોકી વિસ્તાર અને લિંચોલી વિસ્તારમાં અનેક જગ્યાઓએ પગપાળા માર્ગમાં અવરોધ ઉભા થયા છે.
કેદારનાથમાં અંદાજે ૨૦૦ જેટલા યાત્રાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા જેમને સ્થાનિક પ્રશાસને દર્શન સલામત સ્થળે ખસેડયા છે. આસપાસની દુકાનો પણ ખાલી કરાવવામાં આવી હતી. ભારે વરસાદના પગલે મંદાકિની નદીની જળ સપાટીમાં પણ વધારો જોવા મળ્યો હતો. જો કે તે ખતરાના નિશાન કરતા નીચે છે. દહેરાદૂનના મોસમ વિજ્ઞાન વિભાગે રાજયના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી મૌસમનો કુલ વરસાદ ૧૪૫ ટકા કરતા પણ વધારે થયો છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં સામાન્ય કરતા વરસાદનું પ્રમાણ ૧૬ ટકા જેટલું વધારે છે.
ઉત્તર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં કુલ ૪૩ લોકોનાં મોત થયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે એક જ પરિવારના ત્રણ સહિત કુલ ૧૨ લોકોનાં મોત થયા છે અને ૬ લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યો હતો. કેટલીક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
ઉત્તરાખંડના હરિદ્વારમાં ૬, ટિહરીમાં ૩, દેહરાદૂનમાં ૨ અને ચમોલીમાં ૧ વ્યકિતનું મોત થયું છે. ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર નૈનીતાલ જિલ્લાના હલદ્વાનીમાં ડૂબી ગયેલ સાત વર્ષનું બાળક હજુ પણ લાપતા છે.
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની અનેક ઘટનાઓમાં પાંચ લોકોનાં મોત થયા છે અને ૫૦ લોકો લાપતા થયા છે. ભારે વરસાદને કારણે અનેક મકાન, પુલ અને સડકોનું ધોવાણ થયું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર કુલ્લુમાં નિરમંડ, સૈંજ અને મલાના વિસ્તારો, મંડીમાં પઘર અને શિમલાના રામપુરમાં વાદળ ફાટયા હતાં.
બિહારમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે ૧૨ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. મુખ્યપ્રધાનના કાર્યાલયના જણાવ્યા અનુસાર ગયામાં પાંચ, જેહાનાબાદમાં ત્રણ, નાલંદામાં બે અને રોહતસમાં બે લોકોનાં મોત થયા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક જ દિવસમાં છ સ્ટેશનોમાં ૧૦૦ મિમી વધારે વરસાદ પડયો હતો. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરગંજમાં ૧૦૭ મિમી વરસાદ પડયો હતો.
રાજસ્થાનમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૬ લોેકોનાં મોત થયા છે. ઝાલાવાડ જિલ્લાની કાલિસિંધ નદીમાં ડૂબી જવાથી એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત થયા છે.
ભારતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધારે વરસાદ પડવાની સંભાવના છે અને ઓગસ્ટના અંત સુધી અલ નીનાની અનુકુળ સ્થિતિ જોવા મળી શકે છે તેમ ભારતીય હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ખેતી માટે વરસાદ ખૂબ જ જરૂરી છે. કુલ ખેતી પૈકી ૫૨ ટકા ખેતી વરસાદના પાણી પર નિર્ભર છે. આઇએમડીના જણાવ્યા અનુસાર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લાંબા ગાળાના સરેરાશ વરસાદ ૪૨૨.૮ મિમીના ૧૦૬ ટકા વરસાદ પડવાની સંભાવના છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



