હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ-વે: ઉમરગામથી મુંબઈ સુધીનો માર્ગ તૈયાર, ટૂંક સમયમાં શરૂ થશે વાહનવ્યવહાર.

Posted 4 months ago with 43 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મળતી માહિતી મુજબ વડોદરાથી ચીખલી સુધીનો માર્ગ કાર્યરત થયા બાદ, હવે ઉમરગામથી મુંબઈ વચ્ચેના પેકેજ પણ પૂર્ણતાના આરે છે. તલાસરી, દહાણું અને પાલઘર તરફનો રસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જેના ફોટોસ પણ સામે આવ્યા છે.

મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ-વે: ઉમરગામથી મુંબઈ સુધીનો માર્ગ તૈયાર, ટૂંક સમયમાં શરૂ થશે વાહનવ્યવહાર.
1/1

મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ-વે: ઉમરગામથી મુંબઈ સુધીનો માર્ગ તૈયાર, ટૂંક સમયમાં શરૂ થશે વાહનવ્યવહાર

વલસાડ/મુંબઈ: દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી બનાવવા માટે નિર્માણાધીન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના કામકાજમાં મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સેક્શનમાં પેકેજ 11 અને 12નું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે પેકેજ 13માં વૈતરણા નદી પરના પુલનું કામ અંતિમ તબક્કામાં છે. આ એક્સપ્રેસ-વે નેશનલ હાઈવે-48 પરના ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. 

લોકોના સમય અને ઇંધણની થશે બચત

મળતી માહિતી મુજબ વડોદરાથી ચીખલી સુધીનો માર્ગ કાર્યરત થયા બાદ, હવે ઉમરગામથી મુંબઈ વચ્ચેના પેકેજ પણ પૂર્ણતાના આરે છે. તલાસરી, દહાણું અને પાલઘર તરફનો રસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જેના ફોટોસ પણ સામે આવ્યા છે. 

આ સિવાય તરણા નદી પરનો ત્રીજો પુલ અને તેની આસપાસનો નાનો હિસ્સો આગામી 5 થી 6 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે. જોકે, જમીન સંપાદન અને અન્ય ટેકનિકલ કારણોસર વલસાડ જિલ્લાનો ભાગ હજુ બાકી છે. શક્યતા છે કે વલસાડનું કામ પૂરું થાય તે પહેલાં ઉમરગામથી મુંબઈનો રસ્તો વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવશે.

હાલમાં નેશનલ હાઈવે-48 પર વાહનોના ભારે દબાણને કારણે કલાકોના જામ સર્જાય છે, જેમાંથી મુક્તિ મળશે. વાપી, સરીગામ, બોઈસર અને પાલઘર જેવા ઔદ્યોગિક હબને મુંબઈ અને જેએનપીટી (JNPT) પોર્ટ સાથે સીધી અને ઝડપી કનેક્ટિવિટી મળશે. માર્ચ મહિના સુધીમાં JNPT સ્પુર પેકેજ પૂર્ણ થવાથી લોકોના સમય અને ઇંધણમાં મોટો ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે, GR ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ દ્વારા પેકેજ 13 પર પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. આ હિસ્સો પૂરો થતાં જ વિરાર ઇન્ટરચેન્જથી તલાસરી ઇન્ટરચેન્જ સુધીનો માર્ગ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.