સમાચાર સારાંશ: પ્રશાંત કિશોર બાદ હવે ચૂંટણી વિશ્લેષકમાંથી રાજકારણમાં આવેલા યોગેન્દ્ર યાદવે પણ આ ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે એ બાબતે આગાહી કરી
એનડીએનો આંકડો 275 થી 305ની વચ્ચે પહોંચી જશે :યોગેન્દ્ર યાદવ
પ્રશાંત કિશોર બાદ હવે ચૂંટણી વિશ્લેષકમાંથી રાજકારણમાં આવેલા યોગેન્દ્ર યાદવે પણ આ ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે એ બાબતે આગાહી કરી છે. પ્રશાંત કિશોરે પણ યોગેન્દ્ર યાદવની આગાહીને સમર્થન આપતા કહ્યું હતું કે, "યાદવના મતે ભાજપ 240 થી 260 સીટ જીતી શકે છે. આ સિવાય ભાજપના સહયોગી પક્ષો 35 થી 45 સીટ જીતી શકે છે. આવી સ્થિતિમાં એનડીએનો આંકડો 275 થી 305ની વચ્ચે પહોંચી જશે, જે સરકાર બનાવવા માટે પૂરતો હશે.
યોગેન્દ્ર યાદવે કોંગ્રેસને 85 થી 100 સીટ અને ઈન્ડિયા એલાયન્સને 120 થી 135 સીટ આપી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 52 સીટ મળી હતી. પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભાજપ બહુમતનો આંકડો સરળતાથી હાંસલ કરશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પ્રત્યે અસંતોષનું કોઈ મોટું કારણ નથી
इस नए वीडियो में चुनावी रुझान का फ़ाइनल आंकलन पेश है — 400 या 303 छोड़िए, 272 पार नहीं जाएगी बीजेपी। अगर हवा और जोर से चली तो संभव है एनडीए भी बहुमत हासिल ना करे।
— Yogendra Yadav (@_YogendraYadav) May 25, 2024
चुनावी रुझान के सच को बताने वाले मेरे पिछले वीडियो को करोड़ से अधिक लोगों ने देखा था। सहमति, असहमति, आलोचना और सवाल… pic.twitter.com/XsAAMaUoE7
પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા પર લખ્યું, ચૂંટણી અને સામાજિક-રાજકીય મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજનારા લોકોમાંથી એક યોગેન્દ્ર યાદવે પણ પોતાનું વિશ્લેષણ શેર કર્યું છે. તેમણે 2024ની લોકસભા ચૂંટણી માટે ભવિષ્યવાણી કરી છે.
તેમના મતે ભાજપને 240થી 260 બેઠકો મળી શકે છે. તે જ સમયે, એનડીએમાં તેના સાથી પક્ષો પણ 35 થી 45 બેઠકો જીતી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ પાસે 275થી 305 બેઠકો હશે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



