સમાચાર સારાંશ: કલાગુરુ રવિશંકર રાવળ સ્થાપિત "કુમાર"ના શતાબ્દીવર્ષની ઉજવણી કરતુ કલાતીર્થ ટ્રસ્ટ
"કુમાર" એટલે સો વર્ષ સુધી ગુજરાતી ભાષામાં વહેતું રહેલું સર્વગામી માનવીય સૌંદર્ય.. એમાં વ્યતીતના વૈભવી શબ્દપ્રાગટ્યની સમાંતરે અનાગતને રળિયાત કરવાનો ચોક્કસ આશય રહેલો છે. 100 વર્ષ સુધી ગુજરાતી-તાને ભવ્યોજ્જ્વલ કરનાર "કુમાર" સયંમ એક આશ્ચર્ય છે. ગુજરાતી લોકચેતનાની રસિકતા, જિજ્ઞાસા, જ્ઞાનપીપાસાને સંકોરવાનું, સંસ્કારવાનું ખૂબ મહત્વનું કાર્ય 'કુમાર' દ્વારા સાતત્યપૂર્વક થતું રહ્યું છે.
એમાં પ્રકાશિત થયેલી સામગ્રી સર્વગામી, બહુઆયામી છે. સમયના કોઈપણ સ્તર પરથી માણવી, મમળાવવી ગમે એવી ચિરકાલીન શબ્દસમૃદ્ધિ છે એની.. "કલાતીર્થ"ને કુમારનો ચિરંજીવ કલાવૈભવ સર્વ સુધી પહોંચાડવાનો વિચાર ન આવે એવું તે કેમ બને...?? સો વર્ષ સુધી ગુજરાતી ચેતનાને રળિયાત કરનાર "કુમાર"ની કલાસમૃદ્ધિ સંકલિત સ્વરૂપે લોકોને વહેંચીને ગુજરાતના માતબર સામાયિકની શતાબ્દીને ઉજવવી એ વિચારમાંથી આ કલાગંગોત્રી ગ્રંથે આકાર લીધો છે..
ગુજરાતમાં ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, તસવીરકલા, પુરાતત્વ, નૃત્યકલા, નાટ્યકલા, સંગીતકલા માટે એક અભૂતપૂર્વ આબોહવા જન્મી.. ગુજરાતના ઉત્તમ સર્જકો, સંશોધકો, લેખકો એમાં જોડાયા "કુમાર" એક પ્રકારનું સ્વયંસિદ્ધ પ્રમાણ બની રહ્યું કે જો કશું "કુમાર"મા છપાય, પ્રસિદ્ધ થાય તો તે ઉત્તમ જ હોય... શ્રી રવિશંકર રાવળ પછી બચુભાઈ રાવત તંત્રી તરીકે જોડાયા અને કુમારને અભૂતપૂર્વ ભવ્યતા અર્પી,ગરિમાપૂર્ણ ઓળખ અર્પી "કુમાર" સર્વગ્રાહી, સમગ્રલક્ષી સામયિક બની રહ્યું..
આ પવિત્ર કાર્યમાં મારી પડખે ઊભા રહીને મારા કાર્યને પ્રમાણ્યુ છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક અને બંગાળના બાઉલ સુફી અને રાજસ્થાનના કબીરાના અલગારી, ખોજી, કવિ શ્રી ડૉ. સતિષચંદ્ર વ્યાસ, જામનગર અને જામજોધપુરના પૂર્વ અધ્યાપક અને સાહિત્યસર્જક મનોજ રાવલ સાહેબનો હૃદયસ્થ ભાવધરીને સૌનો આભાર માનીને અંતરની લાગણી વ્યક્ત કરું છું.. "કુમાર" એક સદીની કલાયાત્રા: શિલ્પ- સ્થાપત્યસંપદા- ભાગ=1 કલા ગંગોત્રી ગ્રંથ 17 ના નિર્માણમાં ભાવપુષ્પો અર્પણ કરીને સહયોગી બનેલા શ્રોફ ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- મુંબઈ અને કાંતિસેનશ્રોફ આર્ટ ફાઉન્ડેશનનો હરખના હેતથી આભાર માની ચરણ વંદન કરું છું... 332 સુવર્ણ પુષ્ટે આકાર પામેલો આ કલાગંગોત્રી -ગ્રંથ આપના ચરણોમા અર્પણ કરતા ધન્યતા અનુભવું છું.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



