સુરેન્દ્ર નગરમાં તાજેતર માં આઇ.પી. એસ સ્કુલ તથા અલ્ટ્રા વિઝન સ્કુલ માં તુલસીપત્ર ફાઉન્ડેશન અમદાવાદ ના સંયુક્ત ઉત્ક્રમ થી સ્વ.કુન્દનિકા કાપડિયા સાહિત્ય ઉત્સવ ઉજવાઈ ગયો,
જેમાં સુરેન્દ્ર નગર ના જાણીતા ચિત્રકાર ભાવિની બા ઝાલા એ કવિ શ્રી કૃષ્ણ દવે ની કવિતા આગિયા ઉપર બાળ વાર્તા તૈયાર કરી ને બાળકો ને ખુબ જ આનંદિત કરાવ્યા..
આજના મોબાઈલ યુગ માં બાળ વાર્તા નાબૂદ થઈ રહી છે ત્યારે આ ચિત્ર કાર એ પોતાની આગવી સૂઝ વડે સુંદર ચિત્રો તૈયાર કરી ને બાળકો ને અર્પણ કર્યા,સાથે સાથે આ કાર્યક્રમ માં જાણીતા કવિ તથા લેખિકા ઉષા ઉપાધ્યાય ખૂબ જ સિનિયર લેખક તથા સાહિત્યકાર કવિ શ્રી બકુલ દવે સાહેબ,અમદાવાદ થી ખાસ પધારેલા ખૂબ જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે સાહેબ,તથા દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ના સમાચાર વિભાગ ના નાયબ નિયામક શ્રી ઉત્સવ પરમાર સાહેબ, આઇ પી એસ સ્કુલ ના સંચાલક શ્રી મહેન્દ્ર ભાઈ પટેલ અને નગર પાલિકા પ્રમુખ બેન શ્રી જીજ્ઞા બેન પંડ્યા એ ઉપસ્થિત રહીને કાર્યક્રમ ની શોભા વધારી હતી
સહુ સાહિત્ય કારો ને સાંભળ્યા હતા ,શાળા તથા કોલેજ ના વિદ્યાર્થી મિત્રો એ ખૂબ બહોળી સંખ્યા માં ભાગ લીધેલ હતો.