સમાચાર સારાંશ: રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ) સરપંચો દ્વારા જણાવાયું હતું કે દરેક મંજુર થયેલ કામમાં એસ્ટીમેટ માં જણાવ્યા મુજબ કામ કરવા માટે માલ ની ખરીદી કરવામા આવે છે ત્યારે અમે તે માલ પર જી.એસ.ટી. ચુકવીએ છે
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોના સરપંચોના એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન
માળીયા તાલુકાના ગામડાના સરપંચોએ આજે સરપંચ એસોસિએશન દ્વારા એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ દયાતરની આગેવાની માં તાલુકા વિકાસ અધિકારી મિલન પવારને રૂબરૂ મળી આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે માળીયા હાટીના તાલુકામાં અત્યાર સુધી જે કોઈ વિકાસના કામો થતા તે કામોના બીલમા જી.એસ.ટી. લગાવ્યા વગર એટલે કે જી.એસ.ટી.ની રકમ કાપ્યા વગર જ થયેલ કામોના બીલ મંજુર કરવામાં આવતા હતા
બાઈટ :- ભયલું ભાઈ સોલંકી
સરપંચ અમરાપુર ગ્રામ પંચાયત
પરંતુ ગત તા:૧૪/૦૩/૨૦૨૪ પછીથી તમામ કામોના બીલમાં ૧૮ % લેખે જી.એસ.ટી.ની રકમ બાદ કરવામાં આવે છે અને પછી થયેલ કામોના બીલ મંજુર કરવામા આવે છે. જેની સામે માળીયા હાટીના તાલુકાના તમામ ગામ ના સરપંચશ્રીઓ એ વિરોધ દર્શાવ્યો હતો
સરપંચો દ્વારા જણાવાયું હતું કે દરેક મંજુર થયેલ કામમાં એસ્ટીમેટ માં જણાવ્યા મુજબ કામ કરવા માટે માલ ની ખરીદી કરવામા આવે છે ત્યારે અમે તે માલ પર જી.એસ.ટી. ચુકવીએ છે, તેમ છતા કરવામાં આવેલ કામના બીલ તાલુકામાં મંજુર કરતી વખતે ફરીથી બીલના ૧૮ % લેખે થતી રકમ માંથી ફરી વખત જી.એસ.ટી. વસુલ કરવા માટે બીલમાથી કપાત કરવામા આવે છે, એટલે કે કોઈપણ કામ માટે ૨(બે) વખત જી.એસ.ટી. વસુલ કરવામાં આવે છે. કોઈપણ કામમા ર(બે) વખત જી.એસ.ટી. વસુલ કરવા માટે સરકારશ્રીની કોઈ જોગવાઈ કે યોજના નથી, તેમ છતા માળીયા હાટીના તાલુકામા તા: ૧૪/૦૩/૨૦૨૪ પછી થી કામ માટે ખરીદ કરેલ માલ પર ૧૮% જી.એસ. ટી. ચુકવવા છતા બીલમાથી પણ જી.એસ.ટી.ની રકમ સીધી જ કાપવામાં આવે છે.
ત્યારે દરેક કામમા ૨(બે) વખત જી.એસ.ટી. ની રકમ ભરપાઈ કરવાથી થતા કામની લાગત વધારે આવે છે, જેનાથી કામ નબળા થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી, જેનાથી વિકાસ ના કર્યો યોગ્ય ન થતા ગામડા ની પ્રજાને અમો ગામના પદાધીકારીઓ પ્રત્યે અસંતોષ થાય છે.જેથી આવા નિયમો રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી
રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



