સમાચાર સારાંશ: ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ મતદારોનો રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે
જૂનાગઢમાં જય ગિરનારીના નાદ સાથે પીએમ મોદીએ સભાની શરુઆત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને સવાલ કરતા કહ્યું હતું કે 'કોંગ્રેસ અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય ભગવાન રામને હરાવવાનો છે. કોંગ્રેસ લોકશાહી માટે ચૂંટણી નથી લડી રહી, કોંગ્રેસ માટે આ ચૂંટણી ભગવાન પ્રભુ શ્રી રામ સામે લડવાની ચૂંટણી છે. ભગવાન રામને હરાવીને તેઓ કોને જીતવા માગે છે?
Happy to be in Junagadh. Addressing a huge public meeting. Watch. https://t.co/sGHcK2EX1b
— Narendra Modi (@narendramodi)Happy to be in Junagadh. Addressing a huge public meeting. Watch. https://t.co/sGHcK2EX1b
— Narendra Modi (@narendramodi) May 2, 2024

વડાપ્રધાન મોદીએ આજે સૌપ્રથમ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં પહેલી જનસભા સંબોધી હતી. ત્યાર બાદ સુરેન્દ્રનગર ખાતે બીજી સભા સંબોધન કર્યા બાદ પીએમ મોદી સંતો-મહંતો તેમજ નરસિંહ મહેતાની ભૂમી જૂનાગઢમાં સતત ત્રીજી જનસભાને સંબોધવા પહોંચ્યા. અહીં તેમણે જય ગિરનારીના નાદ તેમજ સંતો-વડીલોને પ્રણામ કરીને ચૂંટણી સભાની શરુતાત કરી હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



