સમાચાર સારાંશ: 31મી ઓક્ટોબરે બેલાગંજમાં પોતાના વિશે આ હકીકત જાહેર કરી હતી. બિહારની ચાર વિધાનસભા બેઠકો પર 13મી નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી પહેલીવાર ચૂંટણી (election) લડી રહી છે
પ્રશાંત કિશોરનો (prashant kishor ) ઘટસ્ફોટ કોઈપણ પક્ષ કે નેતાને માત્ર એક સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લેતો હતો.મારા દ્વારા રચાયેલી સરકાર (government) 10 રાજ્યોમાં ચાલી રહી છે
જન સૂરજ પાર્ટીના (jansurajparty ) વડા અને પૂર્વ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે પોતાના વિશે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'જ્યારે હું ચૂંટણી વ્યૂહનીતિકારની ભૂમિકામાં હતો. ત્યારે હું કોઈપણ પક્ષ કે નેતાને માત્ર એક સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લેતો હતો.
दिवाली में तरारी की जनता सिर्फ घर की नहीं राजनीति में भी सफाई करेगी #PkforCM #JanSuraaj #PrashantKishor @JanSuraajOnline @PrashantKishor pic.twitter.com/CtQ7MpsUt5
— PK FOR CM (@PK_for_CM) October 30, 2024
મારા દ્વારા રચાયેલી સરકાર દસ રાજ્યોમાં ચાલી રહી છે.'પ્રશાંત કિશોરે બિહારની પેટા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન 31મી ઓક્ટોબરે બેલાગંજમાં પોતાના વિશે આ હકીકત જાહેર કરી હતી. બિહારની ચાર વિધાનસભા બેઠકો પર 13મી નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી પહેલીવાર ચૂંટણી (election) લડી રહી છે. પ્રશાંત કિશોરે બેલાગંજ, ઈમામગંજ, રામગઢ અને તરરી સહિતની ચારેય બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.
31મી ઓક્ટોબરે જ્યારે પ્રશાંત કિશોર (bihar election ) બેલાગંજમાં જન સૂરજના ઉમેદવાર મોહમ્મદ અમજદના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતુ કે, 'મને હંમેશા સવાલ પૂછવામાં આવે છે કે હું પ્રચાર માટે પૈસા ક્યાંથી લાવું છું? હું કોઈપણ પાર્ટી અથવા પાર્ટીના નેતાને સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લેતો હતો.'
પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું કે, 'મારા દ્વારા બનાવવામાં આવેલી સરકારો 10 રાજ્યોમાં ચાલી રહી છે, તો શું અમારા પ્રચાર માટે પૈસા નહીં મળે? શું તમે અમને આટલા નબળા ગણો છો? બિહારમાં જેટલી કોઈ નથી. સાંભળ્યું હશે કે જો આપણે ચૂંટણીમાં કોઈને સલાહ આપીએ તો અમારી ફી 100 કરોડ રૂપિયા કે તેથી વધુ છે.'
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



