સમાચાર સારાંશ: ભારત-રશિયા મિત્રતા હંમેશા સકારાત્મક છે. રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીએ બંને દેશો વચ્ચેની મિત્રતા મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે રશિયાના કઝાન અને યાકિટારિમ્બર્ગમાં ભારતના બે નવા કોન્સ્યુલેટ ખોલવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેઓ સોમવારે (8 જુલાઈ) મોસ્કો પહોંચ્યા હતા જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે આજે વડાપ્રધાન મોદી મોસ્કોમાં ભારતીય સમુદાયની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ રશિયામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે.

Thank the Indian community in Russia for their warm reception. Addressing a programme in Moscow. https://t.co/q3sPCCESbM
— Narendra Modi (@narendramodi) July 9, 2024
પીએમ મોદીએ આગળ બોલતા કહ્યું કે 'હું આજે તમારી સાથે એક સારા સમાચાર શેર કરવા માંગુ છું. રશિયાના કઝાન અને યાકિટારિમ્બર્ગમાં ભારતના બે નવા કોન્સ્યુલેટ ખોલવામાં આવશે. જેનાથી અહીં આવવા જવા તેમજ વ્યાપાર વધુ સરળ બનશે.' વધુમાં કહ્યું કે 'રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રપતિ પુતિનના 20 વર્ષના શાસન દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ભારત-રશિયા મિત્રતા હંમેશા સકારાત્મક છે. રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીએ બંને દેશો વચ્ચેની મિત્રતા મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.'
વડાપ્રધાન મોદીએ પોતાની અગાઉની મુલાકાતની વાત કરતા જણાવ્યું કે 'છેલ્લા 10 વર્ષમાં છ વખત રશિયા આવ્યો છું અને અમે (પુતિન) છેલ્લા દસ વર્ષમાં 17 વખત મળ્યા છીએ. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આભારી છું, ભારત અને રશિયા ખભે ખભા મિલાવીને ચાલી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે અનોખો સંબંધ છે. હું રશિયા સાથેના અનોખા સંબંધોનો ચાહક છું. બંને દેશો વચ્ચે મિત્રતા હંમેશા અકબંધ રહેશે. દર વખતે અમારી મિત્રતા વધુ મજબૂત બની છે. રશિયન ભાષામાં druzhbaનો અર્થ હિન્દીમાં મિત્રતા થાય છે. આ શબ્દ બંને દેશો વચ્ચેના સંબંધોને દર્શાવે છે.'
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



