હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીના પ્રહાર અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું : રાહુલ ગાંધી સેનામાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં

Posted 2 years ago with 67 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હરિયાણાના મહેન્દ્રગઢમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું.

અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીના પ્રહાર અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું : રાહુલ ગાંધી સેનામાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં
1/3
અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીના પ્રહાર અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું : રાહુલ ગાંધી સેનામાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં
2/3
અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીના પ્રહાર અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું : રાહુલ ગાંધી સેનામાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં
3/3

અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીના પ્રહાર

અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું : રાહુલ ગાંધી
સેનામાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં

હરિયાણાના મહેન્દ્રગઢમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. 

તેમણે અગ્નિવીર યોજના અને સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પીએમ નરેન્દ્ર મોદીની સરકારે ભારતના સૈનિકોને મજૂર બનાવી દીધા છે. નવી નીતિમાં બે પ્રકારના સૈનિકો બનાવવામાં આવ્યા છે. એક એવા શહીદ જેના પરિવારને પેન્શન મળશે, શહીદનો દરજ્જો મળશે અને બધી જ સુવિધાઓ મળશે. જયારે બીજા પ્રકારના શહીદ એટલે કે ગરીબ ઘરનો દીકરો જેને અગ્નિવીર નામ આપવામાં આવ્યું છે. 

?ref_src=twsrc%5Etfw">May 22, 2024

આ અગ્નિવીરને ન તો શહીદનો દરજ્જો મળશે, ન તેને પેન્શન મળશે, ન તો તેને કોઈ સુવિધા મળશે, ન તો તેને કેન્ટીન મળશે. આ યોજના નરેન્દ્ર મોદીની યોજના છે. આ સેનાની યોજના નથી. સેનાને તે જોઈતી નથી. આ યોજના પીએમઓ તરફથી બનાવવામાં આવી છે, 'I.N.D.I.A.' ગઠબંધન સરકાર આવશે, ત્યારે અમે અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, 'જો કોઈપણ યુવાન શહીદ થશે પછી ભલે તે હરિયાણાનો હોય કે અન્ય કોઈ જગ્યાનો બધા એક જ પ્રકારના શહીદ હશે. બધાને સમાન સુવિધાઓ મળશે. ઇન્ડિયા સરકાર બધાની રક્ષા કરશે, બધાના પરિવારને પેન્શન મળશે, શહીદનો દરજ્જો બધાને મળશે. અમે અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું.'

'I.N.D.I.A.'ની ગઠબંધન સરકારમાં આવશે તો બધાને સમાન સુવિધા મળશે એવો દાવો પણ કરવામાં આવ્યો હતો. સેનામાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. માત્ર એક જ પ્રકારના શહીદો હશે, એક જ પ્રકારની સેવા શરતો લાગુ પડશે. તમામ પરિવારોને કોઈને કોઈ પ્રકારનું પેન્શન મળશે, દરેકને શહીદનો દરજ્જો મળશે.
મોંઘવારી અને બેરોજગારીપર વાત નથી કરતા પીએમ 

જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મેં ભારતભરમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો, જ્યાં લોકોએ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી, પરંતુ વર્તમાન સરકારને મોંઘવારી અને બેરોજગારી સાથે કોઈ લેવાદેવા નથી.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.