હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તપાસની માંગ. લોકોને શેરબજારમાં રોકાણ કરવા કેમ કહ્યું હતું

Posted 2 years ago with 29 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) સંસદની કમિટી છે. કોઈપણ મોટા કેસની તપાસ માટે સંસદના લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે અને તે મુજબ બંને ગૃહોના સભ્યોની બનેલી કમિટીની રચના કરવામાં આવે છે

રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તપાસની માંગ. લોકોને શેરબજારમાં રોકાણ કરવા કેમ કહ્યું હતું
1/4
રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તપાસની માંગ. લોકોને શેરબજારમાં રોકાણ કરવા કેમ કહ્યું હતું
2/4
રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તપાસની માંગ. લોકોને શેરબજારમાં રોકાણ કરવા કેમ કહ્યું હતું
3/4
રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તપાસની માંગ. લોકોને શેરબજારમાં રોકાણ કરવા કેમ કહ્યું હતું
4/4

રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તપાસની માંગ

રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ અને પરિણામોના દિવસે શેરબજારમાં મોટી ઉથલપાથલ મામલે તપાસની માંગ કરી છે. આજે (છઠ્ઠી જૂન) યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં તપાસની માગ કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શેરબજારમાં રોકાણ કરવા કેમ કહ્યું હતું. બાદમાં 4 જૂને મોટો કડાકો નોંધાતાં લોકોના 30 લાખ કરોડથી વધુ ધોવાઈ ગયા હતા.' આ મામલે તેમણે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)તપાસની માંગ કરી છે.

જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) સંસદની કમિટી છે. કોઈપણ મોટા કેસની તપાસ માટે સંસદના લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે અને તે મુજબ બંને ગૃહોના સભ્યોની બનેલી કમિટીની રચના કરવામાં આવે છે. આ કમિટી પાસે અપાર સત્તા હોય છે અને તે કોઈપણ વ્યક્તિ પાસેથી કેસ સંબંધિત કોઈપણ દસ્તાવેજ મેળવી શકે છે. આ કમિટી ગૃહના અધ્યક્ષની મંજૂરીથી મંત્રીઓને હાજર થવા માટે પણ બોલાવી શકે છે. 

વર્ષ 1980-90ના સમયમાં દેશમાં બોફોર્સ કૌભાંડની તપાસ માટે પ્રથમ વખત જેપીસીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની 50થી વધુ બેઠકો યોજાઈ હતી અને તેમણે 26મી એપ્રિલ 1988ના રોજ સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. પરંતુ વિપક્ષે તેને ફગાવી દીધો હતો.

દેશના સંસદીય ઈતિહાસમાં પાંચમી વખત મનમોહન સિંહ સરકાર દરમિયાન 2જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ માટે જેપીસીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ અગસ્તા વેસ્ટલેન્ડ ચોપરગેટ કૌભાંડમાં પણ જેપીસીની રચના કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા 10 વર્ષના કાર્યકાળ દરમિયાન કોઈપણ કૌભાંડને લઈને જેપીસીની રચના થઈ નથી. જો કે, જેપીસીની રચના 2015માં જમીન સંપાદન બિલ અને 2019માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ માટે કરવામાં આવી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.