સમાચાર સારાંશ: જે જમીન પર ગેમ ઝોન બનાવાયો હતું, તેનું પાર્ટનરશિપ ડીડ હતું અને તેના આધારે કાર્યવાહી કરાશે. રાજકોટ પોલીસે ગેમ ઝોન માટે મંજૂરી આપી હતી.
રાજકોટ અગ્નિકાંડ:સરકારે મોટી કાર્યવાહી કરી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત છ IPS, મ્યુનિ. કમિશનર આનંદ પટેલની બદલી
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે 26 મેના રોજ મીડિયા સમક્ષ આવી કહ્યું હતું કે, ‘આ કેસની જેસીપી વિધિ ચૌધરી તપાસ કરશે. ગેમ ઝોનમાં નવેમ્બર-2023માં રૂટિન લાઈસન્સ અપાયું હતું. પહેલી જાન્યુઆરીથી લાઈસન્સ રિન્યૂ કરાયું હતું. SITની ટીમ અધિકારીઓના નિવેદનો લેશે અને તપાસ કરશે. અગ્નિકાંડમાં કાગળો રજૂ કરાયા છે અને તેમાં ફાયર સેફ્ટીના બિલોનો પણ સમાવેશ થાય છે.
જે જમીન પર ગેમ ઝોન બનાવાયો હતું, તેનું પાર્ટનરશિપ ડીડ હતું અને તેના આધારે કાર્યવાહી કરાશે. રાજકોટ પોલીસે ગેમ ઝોન માટે મંજૂરી આપી હતી.’ આ વાતનો તેમણે સ્વીકાર્ય કર્યો હતો કારણ કે, ગેમ ઝોનની મંજૂરી માટે પોલીસે જ લાયસન્સ આપ્યું હતું. આ દરમિયાન તેમણે મીડિયા કોઈપણ સવાલનો જવાબ આપ્યો ન હતો અને માત્ર પ્રાથમિક તપાસની વિગતો આપી હતી.

ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને 28 નિર્દોષોએ જીવ ખોવાનો વારો આવ્યો હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



