સમાચાર સારાંશ: આરોપીઓ તરફથી ડિસ્ચાર્જ અરજીમાં એવી દલીલો કરવામાં આવી હતી કે તેઓ નિર્દોષ છે
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ: 7 આરોપીઓની ડિસ્ચાર્જ અરજીઓ સેશન્સ કોર્ટે ફગાવી
રાજકોટ:27 લોકોનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ કેસના 15 આરોપીઓ પૈકી 7 આરોપીઓએ પોતાની સામેનો કેસ રદ કરવા (ડિસ્ચાર્જ કરવા) માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે નામંજૂર કરી દીધી છે.
જે આરોપીઓની અરજી નામંજૂર થઈ છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
ગેમ ઝોનના માલિક: ધવલ ઠક્કર
ગેમ ઝોનમાં કાફે ચલાવનાર: નીતિન લોઢા
ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર): મનસુખ સાગઠિયા
એટીપી (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર): ગૌતમ જોશી
એટીપી (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર): રાજેશ મકવાણા
આસિસ્ટન્ટ એન્જિનિયર: જયદીપ ચૌધરી
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર: ભીખાભાઈ ઠેબા
આ નિર્ણયનો અર્થ એ છે કે આ સાત આરોપીઓ સામે અગ્નિકાંડ સંબંધિત કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
આરોપીઓ તરફથી ડિસ્ચાર્જ અરજીમાં એવી દલીલો કરવામાં આવી હતી કે તેઓ નિર્દોષ છે, તેમની સામે કોઇ પૂરાવો ન હોવા છતાં પોલીસે ચાર્જશીટ કર્યું છે. ચાર્જશીટ ફરમાવતી વખતે અદાલતે સંપૂર્ણ પૂરાવાનું પૃથ્થકરણ કરવું જોઇએ. જો એકથી વધુ દ્રષ્ટિકોણ સંભવિત હોય તો આરોપીઓ તરફેના દ્રષ્ટિકોણને લક્ષમાં લઇ આરોપીઓને ડિસ્ચાર્જ કરવા જોઇએ. સાક્ષીઓના નિવેદનમાં સત્યતા જણાતી નથી. જેની સામે આ કેસના સ્પે. પીપી તુષાર ગોકાણીએ એવી દલીલો કરી હતી કે ડિસ્ચાર્જ અરજી અનિર્ણિયીત કરતા સમયે અદાલત માત્ર મર્યાદિત રીતે પૂરાવાઓનું મૂલ્યાંકન કરી શકે છે. આરોપીઓ તરફે સાહેદોની ઉલટ તપાસ કર્યા વિના તે સાહેદ જણાવે છે તેની વિરૂધ્ધની હકીકત પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આરોપીઓ તરફે માત્ર દલીલમાં જણાવવાથી પ્રોસીક્યુશનના પૂરાવાની વિશ્વસનિયતા પડકારી શકાય નહીં.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



