સમાચાર સારાંશ: મારા પરિવારના ત્રણ સભ્યોની ભાળ મળી છે ..પાંચ સભ્યો લાપતા છે .જો આ અગ્નિકાંડના જવાબદારોને જમીન મળ્યાતો હું મારી નાખીશ ..
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ: જો જમીન મળ્યા તો હું મારી નાખીશ
મારા પરિવારના ત્રણ સભ્યોની ભાળ મળી છે ..પાંચ સભ્યો લાપતા છે .જો આ અગ્નિકાંડના જવાબદારોને જમીન મળ્યાતો હું મારી નાખીશ .. હવે મારી આગળ પાછળ કોઈ બચ્યું નથી .. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી ..જરૂરિયાતમંદ પરિવારને આપી દેજો .આ ઉપરાંત ભોગ બનેલા પરિવારના સભ્યે વકીલોને પણ વિનંતી કરી કે કોઈ આ કાંડના જવાબદારો નો કેસ ન લડે
રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે.
આ દરમિયાન ભાજપના દિગ્ગ્જ નેતા વજુભાઈ વાળાએ આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, 25મી મે દિવસ ખૂબ જ દુઃખદ અને કલંકિત રહ્યો હતો. રાજકોટ મનપાએ ભૂલ સ્વીકારવી જોઈએ.
અધિકારીઓના પાપે જ આ અગ્નિકાંડ થયો. ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈનો ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, રાજકોટ મનપાની નિષ્કાળજી રહી છે. કોઇ પણ પ્રકારનુ સ્ટ્રક્ચર હોય કોર્પોરેશનની મંજૂરી જોઈએ. મનપાએ ભૂલ સ્વીકારવી જોઈએ. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ બંધ કરાવવાની જવાબદારી મનપાની છે.
જિંદગીમાં થયેલી ભૂલની કબૂલાત નહીં કરીએ તો એવી ભૂલનું પુનરાવર્તન જ થયા કરશે. અધિકારીઓ સામે પણ પગલા લો, આપણે એવું ન કહેવાય કે પરવાનગી નહોતી આપી એટલે અમારો કોઈ રોલ નથી. પરવાનગી નહોતી આપી તોય ત્યા ગેમ ઝોન તો હતો જ. તો ધ્યાન શું રાખ્યું?'
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



