સમાચાર સારાંશ: પાયલ સાકરીયાએ કહ્યું કે "સ્માર્ટ મીટર એ જનતા ને લૂંટવાનું સ્માર્ટ આયોજન છે.સ્માર્ટ મીટરના ફાયદા માં એકજ ફાયદો જણાવવા માં આવી રહ્યો છે જે છે વીજ ચોરી રોકી શકાશે તો શું સમગ્ર જનતા ને આ સરકાર ચોર સમજી રહી છે?
સ્માર્ટ મીટર બાબતે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાએ સાથી કોર્પોરેટરો સાથે પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં મિટિંગ કરી
જો સ્માર્ટ કરવું જ હોઈ તો પહેલા સિસ્ટમ ને સ્માર્ટ કરવામાં આવે થોડોક પવન કે થોડોક વરસાદ પણ આવે ત્યાં પાવર કટ થઈ જાય છે.પાવર કટ થયા પછી ટોલ ફ્રી નંબરો માં કોલ ઉપાડવા માં આવતા નથી.ગામડાઓ માં ખેડૂતોને અડધી રાતે પાવર મળે ત્યારે પાણી પાવા જવું પડે છે તો ત્યાં સિસ્ટમ ને સ્માર્ટ કરો ને.જનતાને લૂંટવાનું ભાજપ સરકાર જે છડયંત્ર કરીને સ્માર્ટ મીટર લગાવી રહી છે તેની વિરુદ્ધ માં અમે ગુજરાત ની જનતા ની સાથે છીએ અને સ્માર્ટ મીટર ની વિરુદ્ધમાં મજબૂતી થી લડત આપીશું.

અમે જે જે સોસાયટીઓમાં જઈએ છીએ ત્યાં લોકોમાં સ્માર્ટ મીટર સામે ખૂબ જ રોષ છે અને લોકો આ સ્માર્ટ મીટર નહિ લગાવવા દેવા માટે મક્કમ છે.આમ આદમી પાર્ટી એ ગુજરાત ની જનતા ના હિત માં દરેક જિલ્લા માં સ્માર્ટ મીટર રદ કરવા માટે આવેદન પત્ર આપી રજુઆત કરી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



