સમાચાર સારાંશ: વડાપ્રધાને કહ્યું હતું કે 'મારી શાસકી કારકિર્દીની શરુઆત સૌરાષ્ટ્રથી શરુ થઈ હતી. મને પહેલીવાર ધારાસભ્ય સૌરાષ્ટ્રે બનાવ્યો છે. એટલે હું હંમેશા ગુજરાતનો ઋણી રહીશ.'
ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ મતદારોનો રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. હાલ પીએમ મોદી આણંદ બાદ સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યુ કે 7 તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે 'પહેલા 2G કૌભાંડ, કોમનવેલ્થ, કોલસા કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ જેવા અનેક કૌભાંડ હતા. જ્યારે છેલ્લા 10 વર્ષમાં એક પણ ગોટાળા થયા હોય તેવી ખબર નથી આવી.'
Ecstatic mood at the rally in Surendranagar. People here have always supported the BJP.https://t.co/BYUR748YMe
— Narendra Modi (@narendramodi)Ecstatic mood at the rally in Surendranagar. People here have always supported the BJP.https://t.co/BYUR748YMe
— Narendra Modi (@narendramodi) May 2, 2024

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે વડાપ્રધાન મોદીએ આણંદમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું, કે 'કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં ભારતની 60 ટકા ગ્રામીણ વસ્તી પાસે શૌચાલય નહોતું, 10 વર્ષમાં અમે બનાવ્યા. માત્ર ત્રણ કરોડ ગ્રામીણ ઘર સુધી જ નળથી પાણી પહોંચતુ, અમે 10 વર્ષમાં 14 કરોડ નળથી જળ પહોંચાડ્યું. 10 વર્ષમાં અમે 50 જનધન બેન્ક ખાતા ખોલાવ્યા.' આ ઉપરાંત પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 'આ ગુજરાતી ચા વાળાએ દેશની અર્થવ્યવસ્થા 11માં નંબરથી પાંચમા સ્થાને પહોંચાડી.'
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



