હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૂ થશે તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે

Posted 1 year ago with 20 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: આવતીકાલથી ચંડોળાનુ બીજા તબક્કાનું મેગા ડિમોલેશનની કાર્યવાહીનો આરંભ કરવામાં આવશે. ડિમોલિશનની કાર્યવાહીની પૂર્વતૈયારી રૂપે પોલીસ કમિશનરે ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી સાથે ચર્ચા થઈ હતી અને આ દરમ્યાન રાજ્ય સરકારે ચંડોળા તળાવનાં ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે મંજૂરી આપી દીધી હતી

અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૂ થશે તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે
1/1

અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૂ થશે તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે 

અમદાવાદ: ગેરકાયદે બાંગ્લાદેશીઓનો અડ્ડો બની ગયેલા અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. ચંડોળા તળાવ પરના ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તારીખ 20મી મે, મંગળવારથી ડિમોલિશનની કામગીરીનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. આ કામગીરીને પગલે તળાવ વિસ્તારમાં રહેતા તમામ લોકોને તેમના મકાનો ખાલી કરી દેવાની સૂચના આપવામાં આવી છે અને તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે.

અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૂ થશે તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે

AMCએ બીજા તબક્કા માટે સર્વે હાથ ધર્યો હતો

ડિમોલિશનના પ્રથમ તબક્કા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બીજા તબક્કા માટે સર્વે હાથ ધર્યો હતો જેમાં 8,000 ગેરકાયદેસર બાંધકામો મળી આવ્યા હતા અને તેમને ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આથી હવે આવતીકાલે મંગળવારથી 3 દિવસ માટે આ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પૂર્વે 29-30 એપ્રિલના રોજ ડિમોલિશનના પ્રથમ તબક્કાની કાર્યવાહીમાં 4 હજાર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

ચંડોળા તળાવનું બીજા તબક્કાનું મેગા ડિમોલેશન

આવતીકાલથી ચંડોળાનુ બીજા તબક્કાનું મેગા ડિમોલેશનની કાર્યવાહીનો આરંભ કરવામાં આવશે. ડિમોલિશનની કાર્યવાહીની પૂર્વતૈયારી રૂપે પોલીસ કમિશનરે ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી સાથે ચર્ચા થઈ હતી અને આ દરમ્યાન રાજ્ય સરકારે ચંડોળા તળાવનાં ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે મંજૂરી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ચંડોળા તળાવના વિસ્તારમાં આશરે 10,000 જેટલા નાના-મોટા કાચાં અને પાકાં મકાનો તેમજ ઝૂંપડાઓ આવેલા છે. અગાઉ વર્ષ 2010 પહેલાં તળાવ વિસ્તારમાં રહેતા લોકોને વૈકલ્પિક મકાનો આપવા માટે ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા હતા.

અધિકારીઓને ચોક્કસ ફરજો સોંપવામાં આવી

આ મહત્વપૂર્ણ કામગીરીને સફળ બનાવવા માટે એસ્ટેટ વિભાગ, ફાયર વિભાગ, JDM સેન્ટ્રલ વર્કશોપ, AMTS, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સિટી ઈજનેર (સિવિલ), હેલ્થ વિભાગ, ફૂડ વિભાગ, મેડિકલ હેલ્થ ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, પબ્લિસિટી વિભાગ, એડિશનલ સિટી ઈજનેર અને સિટી ઈજનેર (વોટર રિસોર્સ), UCDના ડાયરેક્ટર, એડિશનલ સિટી ઈજનેર (લાઈટ) સહિત વિવિધ વિભાગોના વડા અધિકારીઓને ચોક્કસ ફરજો અને જવાબદારીઓ સોંપવામાં આવી છે. 

14 વર્ષમાં બદલાઈ ગયો ચંડોળા તળાવનો નકશો

અમદાવાદનો ઐતિહાસિક વારસો ગણાતા ચંડોળા તળાવનો આખો નકશો માત્ર 14 વર્ષમાં બદલાઈ ગયો હતો. 2010માં, ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025 માં, એટલે કે 14 વર્ષ પછી, અહીંનું ચિત્ર બદલાઈ ગયું હતું. હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે દબાણ છે. બાંગ્લાદેશીઓએ મોટા પાયે આ વિસ્તારમાં કબજો કર્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.