સમાચાર સારાંશ: સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશનની અનોખી પહેલ
કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું
સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશનની અનોખી પહેલ અંતર્ગત અખાત્રીજ નિમિત્તે ૨પ૦ જેટલા સેવાભાવીઓએ સેવાનો અભિગમ કરતા ૪૦૦૦ લીટર સરબતનું વિતરણ કર્યું હતું.

આ અંગે માહિતી આપતા સંસ્થાના કાર્યકર્તા રાજેશભાઈ અમીન અને જયશ્રીબેન પટેલે જાવ્યું હતું કે, સંસ્થા દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેઅંતર્ગતદર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજ ના ના દિવસે બનાવવામાં આવેલ ૪૦૦૦ લીટર સરબત શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ૭૦૦ લિટર છાસ અને શેરડીના રસ નું વિતરણ સામ તળાવ, છાની જકાતનાકા, અજવા રોડ પર કરવામાં આવ્યું હતું.
શહેરના મકરપુરા અને ગોત્રી જેવા શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્થા દ્વારા માર્ચથી જુલાઈ મહિના વિસ્તારોમાં સેન્ટર ઊભા કરીને સવારના સુધીમાં શહેર અને જિલ્લાના પ૦૦થી વધારે કાર્યકર્તાઓ સવારે ૬ વાગ્યેથી કેસુડાના ફૂલમાંથી જરૂરિયાતમંદ પરિવારોમાં ૭૦૦ મિલીલિટરની કેસુડાના શરબતની ૧૦૦૦થી વધારે બોટોનું પણ વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, સંસ્થા દ્વારા દરવર્ષે આ સેવા પ્રવુંતી કરવામાં આવે છે .
આપને જણાવી દઈએ કે કાળજાળ ગરમીમાં જ્યારે લોકો પરેશાન થતા હોય છે ત્યારે અનેક સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન સતત જરૂરિયાત મંદ લોકોની સેવા માટે હંમેશા તત્પર હોય છે
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



