સમાચાર સારાંશ: રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)---જૂનાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતી સમીતીના સભ્યો સાથે શાંતી સમિતીની મીટીંગ રાખવામાં આવી હતી
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેરમાં શાંતિ સમિતિની એક બેઠક યોજવામાં આવી પોલીસ મથક ખાતે માળીયા હાટીના પોલીસ PSI દ્વારા હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા
પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતી સમીતીના સભ્યો સાથે શાંતી સમિતીની મીટીંગ રાખવામાં આવી હતી. જેમા રથયાત્રા તથા બકરીઇદનો તહેવાર લોકો શાંતી થી ઉજવી શકે અને કોઇ અનિચ્છનીય બનાવો ન બને તેમજ કોમી એકતા જળવાય રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારી દ્વારા બંને તહેવાર કોમી એખલાસ તથા કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા સુચના આપવામાં આવી હતી.
વાત કરવામાં આવે તો થોડા દિવસોમાં હિન્દૂ લોકોનો ધાર્મિક તહેવાર ભીમ અગિયારસ આવી રહી છે જ્યારે થોડા સમય માં મુસ્લિમ લોકોનો ધાર્મિક તહેવાર બકરી ઇદ પણ આવી રહી છે ત્યારે આ તહેવારોમાં માળીયા હાટીના શહેર તેમજ તાલુકામાં શાંતિ મય રીતે ઉજવણી કરવામાં આવે અને કોઈ ઘર્ષણ ન થાય તેમજ શાંતિ અને સુલેહ જળવાય રહે તે માટે માળીયા હાટીના તાલુકા પોલીસ મથક ના PSI .P. K. ગઢવી દ્વારા માળીયા હાટીના શહેરના હિન્દૂ અને મુસ્લિમ સમાજ ના આગેવાનો ને બોલાવી અને શાંતિ સમિતિ ની એક બેઠક યોજવામાં આવી હતી .ત્યારે આ બેઠકમાં માળીયા હાટીના શહેરમાંથી હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા
અને PSI શ્રી P. K. ગઢવી સાહેબ ને ખાત્રી આપી હતી કે અગાઉ ના સમય માં ક્યારેય કોઈ વિવાદ કે ઘર્ષણ થયું નથી અને આવનારા દિવશો માં પણ થવાનું નથી માળીયા હાટીના માં હિન્દૂ અને મૂસ્લિમ સમાજ કાયમ માટે ભાઈચાર સાથે જ રહે છે અને રહેનાર પણ છે
તેમજ ધાર્મિક તહેવારો દરમિયાન સુલેહ અને શાંતિ કાયમ માટે બની રહેશે તેવી ખાત્રી પણ આપી હતી અને પોલિસ સ્ટાફ તેમજ પી એસ આઈ શ્રી સહિત બેઠક માં આવનાર આગેવાનો નો આભાર પણ માનવામાં આવ્યો હતો
Byte મહેન્દ્રભાઈ ગાંધી
પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ ..(માળીયા હાટીના)
Byte નખવી ગુલામ હુસેન સિદીમિયા
મુસ્લિમ સમાજ આગેવાન (માળીયા હાટીના)
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)---જૂનાગઢ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



