સમાચાર સારાંશ: છઠ પૂજા વ્રતને સૌથી મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે, કારણ કે આમાં ભક્તો લગભગ 36 કલાક સુધી નિર્જળા રહે છે
અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં શ્રી મારૂતી સેવા સમિતિ ટ્રસ્ટ દ્રારા પંચમવર્ષ છઠ્ઠ મહાપર્વ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.
કારતક શુક્લ ષષ્ઠી તિથિ , છઠ પૂજા હોય છે, જે સૂર્ય અને છઠ્ઠી માતાની ભક્તિનો મહાન તહેવાર તરીકે ઉજવાય છે. સાંજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે.

ગુજરાત ખાતે યુપી અને બિહારમાં રહેતા લોકો પણ કાયમી વસવાટ કરે છે અને આ પર્વને સર્વે સાથે મળી ઉજવવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, છઠ્ઠી માતા સૂર્યદેવની બહેન છે તેવી પૌરાણિક માન્યતા છે. છઠ પૂજા વ્રતને સૌથી મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે, કારણ કે આમાં ભક્તો લગભગ 36 કલાક સુધી નિર્જળા રહે છે, એટલે કે તે લાંબા સમય સુધી પાણી પણ પીતા નથી.
આ વ્રત એક કઠોર તપ છે. વ્રત પૂર્ણ થયા બાદ લોકો ઉપવાસીઓના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લે છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ આ વ્રત રાખે છે તે તેમના બાળકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. છઠ્ઠી માતાની કૃપાથી પરિવારમાં પરસ્પર પ્રેમ અને સંવાદિતા રહે છે.
અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં શ્રી મારૂતી સેવા સમિતિ ટ્રસ્ટ દ્રારા પંચમવર્ષ છઠ્ઠ મહાપર્વ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સાંજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ઉગતા સૂર્યને અર્ધ્ય ચઢાવવાની પરંપરા છે, પરંતુ છઠ પૂજા વ્રત દરમિયાન સૂર્યાસ્ત સમયે અર્ધ્ય ચઢાવવામાં આવે છે. ભક્તો નદી, તળાવ અથવા કોઈપણ જળ સ્ત્રોતમાં ઉભા રહીને સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું હતું. અને એકબીજાને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



