સમાચાર સારાંશ: કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષામાં નાપાસ થયા હશે પરંતુ, હાર્યા નથી એ વાત વાલીઓ અને વિદ્યાર્થીઓ ભૂલે નહી! ઈશ્વરે આથી પણ વધુ સફળ તથા વધુ લક્ષ્ય કેન્દ્રિત થવાની છે તક આપી તેમજ ભૂલો સુધારી આગળ વધવા ની દિશા આપી છે!! ન તો હિંમત હારશો અને ન આપના વ્હાલા બાળકોને પણ હિંમત હારવા દેશો!! કુમળું માનસ છે
ઠપકો નહિ, ટેકો, ટકોર અને ટાર્ગેટ આપજો...!!
મિત્રો, ઘડતરનાં પાયામાં પ્રચંડ આત્મવિશ્વાસ અને પડી - ગબડીને પણ બેઠા થવાની શક્તિઓ હશે તો ગમે તેવા શિખરો સર કરી આવશે! પરીક્ષા ખંડમાં ઉતીર્ણ ન થયેલા અનેક બાળકો ને માતા પિતાનો ટેકો અને સધિયારો મળવાથી જીવનમાં ઉચ્ચ સ્થાનો ઉપર પહોંચ્યા હોય તેવા અનેક ઉદાહરણો છે! તેમ છતાં ભણતર નું મહત્વ પણ જરાયે ઉતરતું નથી,
મોડા પહોંચવામાં ધીરજ ન ગુમાવવી જોઇએ, સીએ અને યુપીએસસી ની પરીક્ષાઓ પહેલા પ્રયત્ને પસાર ન કરી શકવાથી જેમ કોઈ પ્રયત્ન કે હિંમત નથી છોડી દેતું તેમ જ ભવિષ્યમાં સફળતા નાં શિખરે પહોંચ્યા બાદ કોઈ નથી પૂછવાનું કે કેટલામા પ્રયત્ને આપે 10 મુ પાસ કર્યું, અને પૂછે તો પણ કહેવું કે "હા એક, બે કે ત્રણ પ્રયત્ને પાસ કર્યું, પરંતુ હિંમત કે જીવન નથી હાર્યા!!". પરીક્ષામાં ભલે નાપાસ થયા પરંતુ આત્મબળની કસોટીમાં નાપાસ ન થશો...!!
પરીક્ષા એ કસોટી છે તમારી નિપુણતા નું પ્રમાણપત્ર નહી માટે જ પરમાત્મા વઘુ સારી અને શ્રેષ્ઠ તક આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે જેને ઓળખીને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહેજો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



